ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર સપા પ્રમુખ અખિલેશ યાદવે વળતો જવાબ આપ્યો છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર સપા પ્રમુખ અખિલેશ યાદવે વળતો જવાબ આપ્યો છે. તેમણે અમિત શાહની ચેલેન્જનો સ્વિકાર કરતા જાહેરાત કરી હતી કે, તેઓ આ ચેલેન્જ સ્વિકારવા તૈયાર છે, બસ તમે ખાલી જગ્યા અને સમય બતાવો.
અમિત શાહની ચેલેન્જ અખિલેશે સ્વિકારી
કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર સપાનો ઘેરાવ કરતા ગૃહમંત્રી અમિત શાહે અખિલેશ યાદવને પોતાના સમયના આંકડા રજૂ કરવાનો પડકાર ફેંક્યો હતો. રવિવારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કોઈનું પણ નામ લીધા વગર ટ્વિટ કર્યું હતું. અમે ચેલેન્જ માટે તૈયાર છીએ. સત્યને તૈયારીની જરૂર હોતી નથી. જગ્યા બતાવો, સમય બતાવો. માનવામાં આવી રહ્યું છે કે, તેમણે ભાજપના પૂર્વ અધ્યક્ષ તરફથી આપવામાં આવેલા પડકારનો જવાબ આપ્યો છે.
हम हर चैलेंज के लिए अभी तैयार हैं… सच को तैयारी की ज़रूरत नहीं पड़ती… वो जगह बताएं, समय बताएं!
શનિવારે મુઝફફરનગરમાં અમિત શાહે સપા પ્રમુખ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, અખિલેશ યાદવને શરમ પણ નથી આવતી. હિમ્મત હોય તો પોતાના સમયના આંકડા લઈને પ્રેસ કોન્ફ્રંસ કરે. યોગી સરકારમાં લૂંટ , હત્યા અને બળાત્કારમાં કમી આવી છે. અમિત શાહે કહ્યું હતું કે, સપા પાર્ટી આવતી ત્યારે ગુંડા, માફિયા અને તુષ્ટિકરણની વાત કરતા હતા. આજે ભાજપના પાંચ વર્ષ થઈ ગયા છે, જાતિની વાત થતી નથી, પરિવારવાદની વાત થતી નથી. ગુંડા કે માફિયા પણ રાજ્ય છોડીને ચાલ્યા ગયા છે. ભાજપના શાસનમાં ફક્તને ફક્ત સુરક્ષા અને વિકાસની જ વાત થાય છે.
શરમ તો ભાજપને આવવી જોઈએ- અખિલેશ
અમિત શાહના પડકાર પર અખિલેશ યાદવે હાલમાં જ કહ્યું હતું કે, મારી પાસે ખેડૂતોને લઈને ભાજપ ગમે ત્યારે ચર્ચા કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, ભાજપે એ બતાવવું જોઈએ કે, કૃષિ કાયદા શા માટે લાવ્યા હતા અને આ કાયદા હવે ખેડૂતોના હકમાં શા માટે નથી. ભાજપ પર કટાક્ષ કરતા અખિલેશે કહ્યું હતું કે, શરમ તો તેમને આવવી જોઈએ, કારણ કે તેમના કારણે 700 ખેડૂતોના જીવ ગયા. શું ભાજપ જવાબ આપશે ખેડૂતોની આવક ડબલ થઈ કે, નહીં.