લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોની 117 લોકસભા સીટ માટે આજે મતદાન ચાલું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26, કેરળની 20, ગોવાની 2, દાદરા નાગર હવેલીની 1, દીવ-દમણની 1, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, જમ્મુ-કાશ્મીરની 1, કર્ણાટકની 14, ઓરિસ્સાની 6, ઉત્તરપ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 5 સીટ માટે મતદાન થવાનું છે. તો આ વચ્ચે ઈવીએમને લઈને ફરી એક વાર વિવાદ સામે આવ્યો છે. જોઇએ આ અહેવાલમાં.
ઈવીએમને લઈને ફરી એક વાર વિવાદ સામે આવ્યો છે. ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન યૂપીના રામપુરમાં 300થી વધુ ઈવીએમ મશીન ખરાબ થયા હોવાની ફરિયાદ સામે આવી છે. આ ફિરયાદ રામપુરથી સપાના ઉમેદવાર આઝમ ખાનના દીકરા અબ્દુલ્લાએ કરી હતી.
ત્યારબાદ અખિલેશ યાદવે પણ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, સમગ્ર દેશમાં ઈવીએમ ખરાબ કે પછી ભાજપ માટે મતદાન. ડીએમનું કહેવું છે કે, ઈવીએમ સંચાલન માટે મતદાન અધિકારી અપ્રશિક્ષિત છે. 350થી વધુ ઈવીએમ બદલવામાં આવ્યા છે.
આ એક ગુનાહિત બેજવાબદારી છે. શું આપણે ડીએમ પર વિશ્વાસ કવો જોઈએ કે પછી બીજો કોઈ ડર છે. આ પહેલા અબ્દુલ્લા આઝમ ખાને 300થી વધી ઈવીએમ ખરાબ હોવાની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં પોલીસ વોટર્સને ડરાવી રહી છે અને ધમકાવી રહી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.