આપણા સંવિધાન નિર્માતાઓએ દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદો બનાવ્યો છે. જો કે તેમાં લિંગભેદની દ્રષ્ટીએ મહિલાઓની સુરક્ષા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે, આજે કેટલીક મહિલાઓ દ્વારા પોતાને મળેલા કાયદાકીય રક્ષણનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. જેના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે.
પુરુષજાતિને આંસુ પાડવાનો પણ નથી મળ્યો અધિકાર
પુરુષ દિવસની કરાઇ ખાસ રીતે ઉજવણી
ત્યારે મહિલાઓ દ્વારા કાયદાનો દુરુપયોગ કરી, પતિ અને પરિવારજનોને ત્રાસ આપવાના વલણ સામે અખિલભારતીય પત્ની અત્યાચાર પીડિત સંઘે મોરચો ખોલ્યો છે.. આજે આ સંઘનો સ્થાપના દિવસ હતો તો કેવી હતી તેની ઊજવણી અને કેવા હતા વેદનાના સૂર.
પુરુષજાતિને આંસુ પાડવાનો પણ નથી મળ્યો અધિકાર
મર્દ તરીકે ઓળખાતી આ પુરુષજાતિને આંસુ પાડવાનો કાયદાએ અધિકાર આપ્યો નથી અને સમાજે તેને સ્વીકાર્યો પણ નથી. તે જ્યારે ચૂપચાપ સહન કરે છે તો તેને નાર્મદ કહેવામાં આવે છે તે જ્યારે અવાજ ઊઠાવે છે ત્યારે તેને ક્રૂરતામાં ખપાવી દેવામાં આવે છે. કાયદાથી બંધાયેલી પુરુષજાતની આ સ્થિતિનો લાભ, કેટલીક સ્વચ્છંદી મહિલાઓએ ઉઠાવી લીધો છે. કેટલીક સ્ત્રીઓ પોતાની સ્વચ્છંદતાને કાયદેસર મળેલી સ્વતંત્રમાં ખપાપી રહી છે અને તેને રોકનાર પુરુષને અત્યાચારના કાયદા હેઠળ સળિયા પાછળ ધકેલી રહી છે.
પત્નીજન્ય અત્યાચાર સામે અભિવ્યક્તિ દિવસ
આમ તો પત્ની પીડિત પુરુષોનો આ આક્રોશ રોજ ઊભો થતો હશે પરંતુ મનમાં શમાવી દેવામાં આવતો હશે. પરંતુ આજે તો તેમના માટે પત્નીજન્ય અત્યાચાર સામે અભિવ્યક્તિ દિવસ છે. હા આજે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ છે. આ દિવસે પોતાના અધિકારને વાચા આપવા દેશભરમાંથી એવા અનેક પુરુષો ભેગા થયા જેઓ પોતાની પત્નીઓ તરફથી અત્યાચારનો સામનો કરી રહ્યા છે. અખિલ ભારતીય પત્ની અત્યાચાર પુરુષ સંઘના બેનર હેઠળ સુભાષ બ્રિજ ખાતે અનેક પત્નીપીડિત પુરુષો એકઠા. રેલી પણ યોજી અને લગ્નસંબંધોની આડમાં ડૂસકાં ભરતી પોતાની વેદનાને વાચા આપવાતમણે નુક્કડ નાટકનો પણ સહકાર લીધો.
તો ભાંગી પડશે લગ્ન વ્યવસ્થા
માથે કાળી ટોપી ધારણ કરીને આ પુરુષોએ એક એવી સામાજિક કાળાશ પર કાયદાના ઘડવૈયાનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે. કે જો એ કાળાશને વધું પંપાળવામાં આવશે તો લગ્ન વ્યવસ્થા પડી ભાંગતા વાર નહીં લાગે. આ સંઘના નેજા હેઠળ માત્ર પીડિત પતિઓએ જ નહીં પરંતુ પુત્રોની પત્નીઓથી ત્રસ્ત વડીલોએ પણ પોતાની વેદના ઠાલવી હતી.
68 સભ્યો ધરાવે છે પત્ની પીડિત પુરુષ સંઘ
આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં ચાલતા પત્ની પીડિત પુરુષ સંઘમાં સભ્યોની સંખ્યા એક બે નહી પરંતુ 68 હજાર સુધી પહોંચી ગઈ છે. આ સંસ્થામાં સામાન્યથી લઈને એનઆરઆઇ , ડોક્ટર, આર્મીના જવાનો પણ સભ્ય તરીકે જોડાયા છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાના પતિ અનેસાસરિયાઓની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા જાય છે.
ત્યારે આ સંસ્થામાં પુરુષો પોતાની પત્નીથી પરેશાન થઇને કાનૂની માર્ગદર્શન મટે આવે છે. પત્ની પીડિત પુરુષ સંઘના વડા દશરથ દેવડાનું કહેવું છે કે, અનેક પુરુષોનું જીવન દોજખ બની ચૂક્યું હોય છે તેનું કારણ માત્ર મહિલાઓ દ્વારા થતો હક અને કાયદાનો દુરુપયોગ છે.
પત્ની દ્વારા આચરવામાં આવતા અત્યાર સામે ન્યાયની કરાઇ રહી છે માગણી
આ પ્રકારનો અનોખો સંઘ રચવા પાછળ પત્ની અત્યાચાર પીડિત પુરુષોનો હેતુ માત્ર સમાન ન્યાયની માગણી છે અને કેટલી મહિલાઓ દ્વારા થતા કાયદાના દુરુપયોગ રોકવાનો આશય છે.