પંજાબના મુકતસરમાં એક કાર્યક્રમ દરમિયાન સુખબીરસિંહ બાદલ એ કહ્યું હતું કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જેમ અમેરિકાએ જાપાન પર અણુ બોમ્બ ફેંકી ને તેને હચમચાવી નાખેલું તેમ અકાલી દળના બોમ્બ ( હરસિમરત કૌર બાદલનું રાજીનામું ) થી મોદી સરકાર પણ હચમચી ગઈ છે.
અમારા એક બોમ્બથી આખી સરકાર હચમચી ગઈ : સુખબીરસિંહ બાદલ
પંજાબ હરિયાણા અને રાજ્સ્થાન સહિતના પ્રદેશોમાં ચાલી રહ્યાં છે વિરોધ પ્રદર્શનો
પંજાબમાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે, કોરોના નિયમોનું ધ્યાન રાખવા કરી અપીલ
શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલ એ ખેડૂતો અંગેના કાયદાઓને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પંજાબના મુકતસરમાં એક કાર્યક્રમ દરમિયાન સુખબીરસિંહ બાદલ એ કહ્યું હતું કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાન પર અણુ બોમ્બ ફેંકી દીધો અને તેને હચમચાવી નાખ્યો. તેમ અકાલી દળ ના બોંબથી સરકાર પણ હચમચી ગઈ છે.
#WATCH "During World War II, the US shook up Japan with an atomic bomb. Akali Dal's one bomb (resignation of Harsimrat Kaur Badal) has shaken up Modi. For past two months, there was no word on farmers, but now 5-5 ministers speak on it,": SAD's Sukhbir S Badal in Muktsar, Punjab pic.twitter.com/8ikbh093ii
સુખબીરસિંહ બાદલ એ વધુમાં કહ્યું કે, 'છેલ્લા 2 મહિનામાં કોઈ પણ ખેડૂતો પર એક પણ શબ્દ બોલતું ન હતું. પરંતુ હવે સરકારના 5-5 મંત્રીઓ આ અંગે બોલી રહ્યા છે.
પંજાબ, હરિયાણાના ખેડૂતોએ કૃષિ બિલો અંગે દેખાવો શરૂ કર્યા
સંસદમાં તાજેતરમાં પસાર થયેલા વિવાદાસ્પદ કૃષિ બિલો વિરુદ્ધ બોલાવાયેલા 'પંજાબ બંધ' અંતર્ગત શુક્રવારે ખેડૂતો એ દેખાવો શરૂ કર્યા હતા. ભારતીય કિસાન સંઘ ( BKU ) ના નેજા હેઠળ સંપૂર્ણ ખેડૂત સંગઠનો એ દ્વારા ખેડૂત સંગઠનોએ હાથ મિલાવ્યા છે. આ બંધને ભારતીય કિસાન સંઘ, ક્રાંતિકારી, કીર્તિ કિસાન યુનિયન, ભારતીય કિસાન સંઘ, કિસાન મજૂર સંઘર્ષ સમિતિ અને ભારતીય કિસાન યુનિયન (લાખોવાલ) જેવા સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
પંજાબ અને હરિયાણાના ઘણા સંગઠનોએ ભારત બંધને ટેકો આપ્યો છે. અધિકારીઓએ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પ્રમાણમાં પોલીસ દળ ગોઠવવામાં આવ્યા છે.
સત્તા પક્ષ કોંગ્રેસ, આપ અને અકાલી દળે પણ આપ્યું છે સમર્થન
શાસક કોંગ્રેસ અને વિપક્ષ આપ પાર્ટીએ રાજ્યમાં ખેડૂતો ના પ્રદર્શનને ટેકો આપ્યો છે.જ્યારે શિરોમણિ અકાલી દળ એ માર્ગ રોકો કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં અનેક સ્થળોએ ટ્રાફિક અટકાવવા ખેડૂતો રસ્તાઓ પર ઉમટયા છે. કિસાન મજૂર સંઘર્ષ સમિતિના બેનર હેઠળ મહિલા વિરોધીઓએ અમૃતસરમાં વિરોધ રેલી કાઢી હતી.
ખેડૂતોએ આ કાયદાઓની વિરુદ્ધમાં ભારત બંધ નું એલાન આપ્યું હતું , અને રેલ્વે અને રસ્તા રોકો આંદોલનની જાહેરાત કરી હતી. આ અંગે જો કે પંજાબમાં સત્તાધારી કોંગ્રેસ પાર્ટી એ ખેડૂતો ને સમર્થન જાહેર કર્યું હતું , જો કે સાથે જ વિરોધ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે ખેડૂતો ને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોરોના વાયરસ સંબંધિત તમામ નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે બીલ સામેની લડતમાં રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે ખેડૂતો ની સાથે છે અને કલમ 144 ના ઉલ્લંઘન માટે કોઈ FIR દાખલ કરવામાં આવશે નહીં.