BSP અને SADની વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવા માટે બસપા મહાસચિવ સતીષ મિશ્રા પણ ચંડીગઢ પહોંચી ચૂક્યા છે. કાલે મિશ્રા અને અકાલી દળના નેતા સુખબીર બાદલ ગઠબંધનની ઘોષણા કરશે. સૂત્રો અનુસાર અકાલી દળ બીએસપીને 18 સીટો આપવા માટે રાજી થઈ ગયું છે.
અકાલી દળ અને માયાવતી બહુજન સમાજ પાર્ટીની વચ્ચે ગઠબંધનની જાહેરાત થશે
કેટલાંય સમયથી વરિષ્ઠ નેતા સુખબીર બાદલ અને માયાવતી એકબીજાના સંપર્કમાં
પંજાબની રાજનીતિમાં દલિત કાર્ડ કેટલું મહત્વનું?
અકાલી દળ અને માયાવતી બહુજન સમાજ પાર્ટીની વચ્ચે ગઠબંધનની જાહેરાત થશે
પંજાબમાં આવતા વર્ષે અન્ય રાજ્યોની સાથે વિધાનસભા ચૂંટણી થવાની છે. નવા કેન્દ્રીય કૃષિ કાયદાઓને લઈને શિરોમણી અકાલી દળ (SAD)એ ગયા વર્ષે ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યું હતું. જેના બાદ હવે રાજ્યમાં નવા સમીકરણ જોવામાં આવી રહ્યાં છે. સૂત્રો અનુસાર શનિવારે અકાલી દળ અને માયાવતી બહુજન સમાજ પાર્ટીની વચ્ચે ગઠબંધનની જાહેરાત થશે. બંને દળો રાજ્યની આગામી ચૂંટણીમાં સાથે ઉતરવાનો નિર્ણય કરી ચૂક્યા છે અને કાલે તેની સત્તાવાર જાહેરાત પણ થશે.
બીએસપી અને અકાલી દળ વચ્ચે ગઠબંધનની જાહેરાત માટે બસપાના મહાસચિવ સતીષ મિશ્રા ચંડીગઠ પહોંચી ચૂક્યા છે. કાલે મિશ્રા અને અકાલી દળ નેતા સુખબીર બાદલ ગઠબંધનની જાહેરાત કરશે.
કેટલાંય સમયથી વરિષ્ઠ નેતા સુખબીર બાદલ અને માયાવતી એકબીજાના સંપર્કમાં
રાજ્યમાં મોટી સંખ્યામાં દલિત વોટર્સ હોવાને કારણે આ ગઠબંધનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે ચૂંટણી માટે સીટોની વહેંચણી પણ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે અકાલી દળ આગામી ચૂંટણીમાં બસપાને 18 સીટો આપવા માટે રાજી થઈ ગયું છે. આગામી ચૂંટણીમાં સાથે ઉતરવાને લઈને છેલ્લાં કેટલાંક દિવસોથી બંને પાર્ટીઓ વચ્ચે વરિષ્ઠ સ્તર પર મીટિંગો થઈ રહી હતી. જો કે મામલો સીટોની વહેંચણીને લઈને અટક્યો હતો પરંતુ હવે તે પણ પાર પડી ગયો છે. છેલ્લાં કેટલાંય સમયથી વરિષ્ઠ નેતા સુખબીર બાદલ અને માયાવતી એકબીજાના સંપર્કમાં હતા.
પંજાબની રાજનીતિમાં દલિત કાર્ડ કેટલું મહત્વનું?
પંજાબમાં લગભગ 33 ટકા દલિત વોટ છએ અને આ જ મોટી દલિત વોટ બેંક પર અકાલી દળની નજર છે. તે બસપાના સહારે આ દલિત વોટ બેંકને હાંસલ કરી ફરી એક વખત સત્તામાં આવવાની તૈયારીમાં છે. અકાલી દળે દલિત વોટ બેંકને ખાળવા માટે પહેલેથી જ જાહેરાત કરી છે કે જો પ્રદેશમાં અકાલી દળની સરકાર આવશે તો ઉપ-મુખ્યમંત્રી દલિત વર્ગથી હશે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી છેલ્લાં 25 વર્ષથી પંજાબ વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી લડી રહી છે. જો કે પાર્ટીને ક્યારેય મોટી જીત હાંસલ થઈ નથી. તેમ છતાંય તે દલિત વોટ બેંક પ્રભાવિત કરે છે.