ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સહયોગી અકાલી દળે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ચંડીગઢમાં અકાલી દળની કોર કમિટીની બેઠક બાદ પાર્ટી પ્રમુખ સુખબીર બાદલે કહ્યું કે, કૃષિ કાયદા, જેલમાં કેદ શિખો અને અન્ય લોકોને છોડવાના મુદ્દા પર ભાજપ સાથે મતભેદ હોવા છતાં પણ અમે તેમના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. સુખબીરે કહ્યું કે, તેમની પાર્ટી ક્યારેય પણ કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવેલા ઉમેદવારે સમર્થન આપી શકે નહીં. તેમણે કહ્યું કે, અકાલી દળે હંમેશા સમાજના વંચિત વર્ગના લોકોનું સમર્થન કર્યું છે. સમાજના નબળા વર્ગોના લોકોનું સમર્થન કરવું અમારી જવાબદારી છે અને અનુસૂચિત જનજાતિ વર્ગમાંથી આવતા દ્રૌપદી મુર્મુ પણ તેમાંથી એક છે.
એનડીએ ઉમેદવારને આપશે સમર્થન
અહીં ઉલ્લેખનીય છે કે, અકાલી દળની પહેલા તો માયાવતીએ પણ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી ચુક્યા છે. એનડીએને સાથ આપવાની જાહેરાત કરતા માયાવતીએ કહ્યું હતું કે, તે દ્રૌપદી મુર્મૂને સમર્થન એટલા માટે કરી રહી છે કારણ કે, તે આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેની સાથે જ બસપા પ્રમુખે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ઉમેદવારને લઈને વિપક્ષે બસપા સાથે ચર્ચા વિચારણ કરી નથી. બીજૂ જનતા દળ, વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓ પણ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપ તથા એનડીએ ઉમેદવારને સમર્થન આપશે. ત્યારે આવા સમયે દ્રૌપદી મુર્મૂની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂની ટક્કરમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા સાથે થશે. અટલ બિહારી વાજપેયી નેતૃત્વવાળી સરકારમાં સિન્હા વિદેશ અને નાણામંત્રી રહી ચુક્યા છે. થોડા સમય પહેલા જ ભાજપ સાથે નાતો તોડીને તેઓ ટીએમસીમાં જોડાયા હતા.
આ રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી
અહીં ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તમામ રાજ્યોની વિધાનસભામાંથી ચૂંટાયેલા સભ્યો અને લોકસભા તથા રાજ્યસભામાં ચૂંટાઈને આવેલા સાંસદો પોતાના વોટના માધ્યમથી કરે છે. ઉલ્લેખનીય છે કે, સંવૈધાનિક તાકાતનો ઉપયોગ કરીને જે સાંસદોને રાષ્ટ્રપતિ નામિત કરે છે. તે સાંસદ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોટ કરી શકતા નથી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એક વિશેષ રીતે વોટિંગ થાય છે. તેના સિંગલ ટ્રાંસફરેબલ વોટ સિસ્ટમ કહેવાય છે. એટલે કે, એકલ સ્થળાંતરીય સિસિટ્મ. સિંગલ વોટ એટલે કે વોટર એક જ વોટ આપે છે. પણ તે કેટલાય ઉમેદવારને પોતાના પ્રાથમિકીથી વોટ આપે છે. એટલે તે બેલેટ પેપર પર એ જણાવે છે કે, તેને પસંદ કોણ છે, બીજી કોણ, ત્રીજી કોણ, વોટ નાખનારા સાંસદો અને ધારાસભ્યોના વોટની પ્રમુખતા અલગ અલગ હોય છે. તેને વેટેજ પણ કહેવાય છે. બે રાજ્યોના ધારાસભ્યોના વેયટેજ અલગ અલગ હોય છે. આ વેયટેજ રાજ્યની જનસંખ્યાના આધાર પર નક્કી થાય છે. અને આ વેયટેજ જેવી રીતે નક્કી કરવામા આવે છે, તેને પ્રતિનિધિત્વ વ્યવસ્થા કહેવાય છે.