ખેડૂતો બિલને લઇને ભાજપના સૌથી જૂના મિત્ર અને શિરોમણી અકાલી દળ (SAD) અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે હુંકાર કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હચમતી ગયા છે. હવે દિલ્હીની ગાદીને હચમચાવાની છે. તેમના જણાવ્યાં મુજબ બધી રાજકીય પાર્ટીઓની સાથે આવીને એક સામાન્ય પ્લેટફોર્મ પર કેન્દ્ર સામે લડવું જોઇએ.
ખરેખર, શુક્રવારે સુખબીરસિંહના નેતૃત્વમાં અકાલી દળ કાર્યકર્તાઓએ મલૌત-દિલ્હી નેશનલ હાઇવે પર લંબી વિસ વિસ્તારમાં ત્રણ કલાક જેટલો ટ્રાફિક જામ કરી દીધો. સુખબીર સિંહ બાદલની સાથે તે દરમિયાન પત્ની અને બઠિંડાના સાંસદ હરસિમરત કૌર પણ હતા. બાદલ દંપતિ ઘટનાસ્થળ પર વિરોધ કરવા આઠ કિલોમીટર ટ્રેકટર ચલાવીને પહોંચ્યા હતા.
ઘટનાસ્થળ પર સુખબીર બાદલે કહ્યું કે વચ્ચે કેટલાક ઉપદ્રવી છે. આવો આપણે તેની સાથે લડીએ છીએ અને બધા ખેડૂતોનો એક મંચ પર ભેગા કરીએ, જેથી દિલ્હીની ગાદી (કેન્દ્ર સરકાર) અને એટલે સુધી કે કેપ્ટન (પંજાબમાં)ની સરકારને હલાવી શકે.
બાદલે કહ્યું કે પંજાબના ખેડૂતો માટે અકાલી દળ આગળ જઇને નેતૃત્વ કરી શકે છે અથવા ફરી પાછળથી તેને જોઇ પણ શકે છે... અમારી સાથે અહંકારનો કોઇ મુદ્દો નથી. અમારુ કામ ખેડૂતોના અધિકાર માટે લડવાનું છે.