ઉત્તરપ્રદેશમાં ભાજપ દ્વારા સીએમ યોગીના નેતૃત્વ હેઠળ ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આવા સમયે ભાજપના પૂર્વ સાસંદ હરિનારાયાણ રાજભરે એવું કહ્યું કે એ કે શર્મા ભવિષ્યમાં મુખ્યમંત્રી બની શકે છે.
ચૂંટણી બાદ યુપી ભાજપમાં થઈ શકે છે મોટા ફેરફાર
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી એ કે શર્મા બને તેવી શક્યતા
ભાજપના પૂર્વ સાંસદે આપ્યું ચોંકાવનારું નિવેદન
ઉત્તરપ્રદેશમાં ભાજપ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. હાલ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મુખ્યમંત્રીના ચહેરાને લઈને અલગ અલગ નામ સામે આવી રહ્યા છે. ત્યારે વધુમાં ફરી એક નવું નામ સામે આવ્યું છે.
પૂર્વ સાંસદ હરિનારાયણ રાજભરે એલાન કર્યુ
ભાજપના પૂર્વ સાંસદ અને વડાપ્રધાન મોદીના નજીકના કહેવાતા હરિનારાયણ રાજભર દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે ભાજપના ઉપાધ્યક્ષ એ કે શર્મા ભવિષ્યના મુખ્યમંત્રી રહી શકે છે. પૂર્વ સાંસદ હરિનારાયણ રાજભરે સભાની વચ્ચે આ એલાન કર્યું છે. જેથી તેમનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.
ભવિષ્યમાં યુપીના CM એ કે શર્મા બને તેવી શક્યતા
વીડિયોંમાં પૂર્વ સાંસદ હરિનારાયણ રાજભર એવું સ્પષ્ટ કહેતા નજરે પડી રહ્યા છે કે ભવિષ્યમાં યુપીના મુખ્યમંત્રી એ કે શર્મા હોઈ શકે છે. સાથેજ તેમણે મંચ પર એવો સંકલ્પ પણ કર્યો કે તેઓ જીવનમાં જે સમય બચશે તેમા શર્માજીને મુખ્યમંત્રી બનાવાનો પ્રયાસ કરશે.
ટૂંક સમયમાં યુપીમાં ચૂંટણીની તારીખો જાહેર થશે
આપને જણાવી દઈએ કે ટૂંક સમયમાં યુપીમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે આવા સમયે પૂર્વ સાંસદ દ્વારા આવું નિવેદન ત્યારે આપવામાં આવ્યું છે જ્યારે પાર્ટી પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. જોકે અત્યાર સુધી ભાજપે એવુંજ કહ્યું છે કે તેઓ સીએમ યોગીના નેતૃત્વમાં ચૂંટણી લડશે. પીએમ મોદી અને અને ગૃહમંત્રી અમિતશાહનું પણ આજ કહેવું છે. ત્યારે પૂર્વ સાંસદ દ્વારા અલગજ વાત કરવામાં આવી છે.
કોંગ્રેસે પણ ભાજપ પર ઉઠાવ્યા સવાલ
જોકે બીજી તરફ ભાજપ દ્વારા આ મુદ્દે હજુ સુધી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. પરંતુ વડાપ્રધાન મોદીએ જ્યારે ગંગા એક્સપ્રેસ વે નો શિલાન્યાસ કર્યો ત્યારે તેમણે એવો નારો લગાવ્યો હતો કે યુપી યોગી ઉપયોગી. પરંતુ હાલ પૂર્વ સાંસદ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને કોંગ્રસ દ્વારા પણ ભાજપ સામે સવાલો ઉઠાવામાં આવી રહ્યા છે.