મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. અગાઉ એવી માહિતી મળી હતી કે NCP તરફથી અજિત પવાર રાજ્યના ડે.સીએમ બનાવવામાં આવશે. ત્યારે આ મામલે અજિત પવારને સવાલ પૂછવામાં આવ્યો હતો. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ મામલે હજુ નિર્ણય બાકી છે.
મહારાષ્ટ્રમાં આજથી ઉદ્ધવ સરકાર બનવા જઇ રહી છે. શપથ ગ્રહણ સમારોહ માટે મુંબઇના શિવાજી પાર્કમાં તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે અજિત પવારનો નવી સરકારમાં શું રોલ હશે? શું તેમને ફરીથી ડે.સીએમનું પદ આપવામાં આવશે કે તેમના માટે કોઇ બીજુ મહત્વનું પદ આપવામાં આવશે. આ મામલે જ્યારે મીડિયાએ તેમને સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે તેઓ આજે શપથ નથી લેવા જઇ રહ્યા. આજે ઉદ્ધવ ઠાકરે સિવાય શિવસેના, એનસીપી અને કોંગ્રેસના કુલ છ મંત્રી શપથ લેશે.
NCP leader Ajit Pawar: I am not taking oath today. Today six leaders will be taking oath from each party (Shiv Sena, NCP, Congress). The decision on Deputy Chief Minister is yet to be taken by the party. #Maharashtrapic.twitter.com/JS1n3A1aJJ
શરદ પવાર સાથે મીટિંગ બાદ એનસીપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલે કહ્યું કે આવનાર દિવસોમાં રાજ્યના કેબિનેટ મંત્રીઓની જાહેરાત થશે. આજે કુલ છ નેતા શપથ લેશે.
NCP સાથે જયંત પાટિલ અને છગન ભુજબલ અને શિવસેના સાથે સુભાષ દેસાઈ અને એકનાથ શિંદે મંત્રી પદના શપથ લેશે. કોંગ્રેસ તરફથી બાલાસાહેબ થોરાટ અને અશોક ચવ્હાણ મંત્રી પદના શપથ લેશે.
જયંત પાટીલે કહ્યું- ડે.સીએમ પર નિર્ણય નથી થયો
જયંત પાટિલે આજે શપથ લેવાની પુષ્ટિ કરી છે. પાટિલે કહ્યું કે આજે હું મંત્રી પદના શપથ લેવા જઇ રહ્યો છું. જ્યારે જયંત પટલેને પૂછવામાં આવ્યું કે તેઓ ડે.સીએમ બનશે તો તેમણે કહ્યું કે આના પર હજુ નિર્ણય નથી થયો. મને આ વિશે જાણકારી નથી.
અજિત પવાર પર શરદ લેશે નિર્ણયઃ શિવસેના
આ વચ્ચે શિવસેનાને પૂછવામાં આવ્યું કે શું અજિત પવારને ડે.સીએમ બનાવવામાં આવશે, પાર્ટી પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, મને નથી ખબર, આ એનસીપીનો મામલો છે. શરદ પવાર મહાવિકાસ અઘાડીના સૌથી વરિષ્ઠ નેતા છે. અજિત પવાર કે કોઇને પણ શું પદ આપવામાં આવશે, તેનો નિર્ણય તે જ કરશે.