મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અજિત પવાર પહેલી વાર મીડિયા સામે આવ્યાં છે. ધારાસભ્ય પદ પર શપથ લીધા બાદ અજિત પવારે કહ્યું કે મે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં હતો અને છું. શું તમારી પાસે મને પાર્ટીમાં હાંકી કાઢ્યાની લેખિત જાણકારી છે? હું પાર્ટીમાં હતો અને છું.
અજિત પવાર કહ્યું - પાર્ટી નક્કી કરશે મારી ભુમિકા
રાજીનામું આપતા પહેલા પક્ષના નેતાઓ સાથે કરી વાત
અજિત પવારે કહ્યું નવી સરકારમાં મારી ભૂમિકા અંગે પાર્ટી નિર્ણય લેશે. પવારે કહ્યું કે ઉપમુખ્યમંત્રી પદ પરથી રાજીનામોનો નિર્ણય મે સુપ્રીમ કોર્ટમાંથી ચુકાદો આવ્યા બાદ કર્યો. ત્યારબાદ મે મારી પાર્ટીઓના નેતાઓ સાથે વાત કરી હતી.
અજીત પવાર બોલ્યાં કે પોતાની પાર્ટીમાં જ રહીશ અને તેને લઇને કોઇ ભ્રમ ઉભો કરવાનું કોઇ કારણ નથી. હું અગાઉ પણ કહી ચૂક્યો હતો કે હું NCP માં છુ અને NCP માં જ રહીશ. પોતાના કાકા અને NCP ના અધ્યક્ષ શરદ પવારના નિવાસ સ્થાન પર મુલાકાતને લઇને અજિત પવારે કહ્યું કે પોતાના નેતા સાથે મુલાકાત કરવો મારો અધિકાર છે.
ફડણવીસે અજિત પવારને લઇને આપ્યો આ જવાબ
જ્યારે બીજી તરફ ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ને જ્યારે પુછવામાં આવ્યું કે અજિત પવારની સાથે સરકાર બનાવીને ભૂલ કરી હતી? જેને લઇને ફડણવીસે જવાબ આપતા કહ્યું કે હું યોગ્ય સમય પર સાચો જવાબ આપીશ, ચિંતા ન કરો.