મહારાષ્ટ્રમાં રાતોરાત ભારતીય રાજનીતિનો મોટો ઉલટફેર થયો છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવાર સવારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યા. આ સમાચાર સામે આવ્યા બાદ રાજ્યની રાજનીતિમાં હડકંપ મચી ગયો. ત્યારે, બાજી હાથથી છટક્યા બાદ એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે રાજ્યમાં ફડણવીસ સરકારને એનસીપી સમર્થન નથી કરતી. શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરીને તે ધારાસભ્યોને પણ રજૂ કર્યા જે અજિત પવાર સાથે શપથગ્રહણ દરમિયાન હાજર હતા. જાણો અજિત પવારે હાઈજેટ કરેલ ધારાસભ્ય...
અમને આ કંઇ પણ ખબર ન હતીઃ રાજેન્દ્ર શિંગે
ધારાસભ્યોના હસ્તાક્ષરની ચિઠ્ઠીનો ખોટી રીતે ઉપયોગઃ શરદ પવાર
ખેલ પર સમગ્ર દેશની નજરઃ ઉદ્ધવ ઠાકરે
એનસીપી ચીફ શરદ પવારનો આરોપ છે કે અજિત પવારે એક ચિઠ્ઠીના જોરે આખો ખેલ રચ્યો. ધારાસભ્ય દળના નેતાના રૂપમાં અજિત પવારની પાસે તમામ પાર્ટી ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. આ ચિઠ્ઠી લઇને અજિત પવાર રાજ્યપાલની પાસે ગયા અને આ ચિઠ્ઠીના જોરે અજિત પવારે ધારાસભ્યોનું સમર્થન રજૂ કર્યું.
એનસીપી ધારાસભ્ય રાજેન્દ્ર શિંગે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 8થી 10 ધારાસભ્યોને અજિત પવારનો ફોન આવ્યો. તેમણે ધનંજય મુંડેના બંગલે આવવા કહ્યું. જ્યારે અમે સૌ બંગલે પહોંચ્યા તો તેઓ અમને ત્યાંથી રાજ્યપાલ નિવાસ લઇ ગયા.
એનસીપી ધારાસભ્ય રાજેન્દ્ર શિંગે જણાવ્યું કે અમને આ કંઇ પણ ખબર ન હતી કે રાજ્યપાલના નિવાસ સ્થાને અમને શા માટે લઇ જઇ રહ્યા છે. અમે જ્યારે રાજભવન પહોંચ્યા તો મને સહેજ પણ ખબર ન હતી કે અમે અહીં શા માટે પહોંચ્યા. થોડીવારમાં અચાનક દેવેન્દ્ર ફડણવીસ આવ્યા અને તેમણે શપથ લીધા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બાદ અજિત પવારે નાયબ મુખ્યમંત્રીના શપધ લીધા.
અમે તમામ શરદ પવારની સાથે છીએઃ સંદીપ ક્ષીરસાગર
બાદમાં બીડથી ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરને શરદ પવારે સ્ટેજ પર બોલાવ્યા. ક્ષીરસાગરે કહ્યું કે, અજિત પવારે મને ફોન કર્યો. અમને નહોતી ખબર કે શું શા માટે થઇ રહ્યું છે. અમે તમામ શરદ પવારની સાથે છીએ.
ધારાસભ્યોના હસ્તાક્ષરની ચિઠ્ઠીનો ખોટી રીતે ઉપયોગઃ શરદ પવાર
શરદ પવારે એ પણ આરોપ લગાવ્યો છે કે જે ચિઠ્ઠીને અજિત પવારે રાજ્યપાલને સોંપી છે તે ચિઠ્ઠી પર 54 ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. જેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો.
ખેલ પર સમગ્ર દેશની નજરઃ ઉદ્ધવ ઠાકરે
ત્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ જે ખેલ ખેલાય રહ્યો છે, તેના પર સમગ્ર દેશની નજર છે. આ ઘટનાથી સામે આવે છે કે તેમના વિચાર 'હું અને માત્ર હું' છે, ગઠબંધનનું કોઇ મૂલ્ય નહીં. આ છત્રપતિ શિવાજી મહારાજની ભાવના પર સર્જિકલ સ્ટ્રાઇક છે.