રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલ સીક્રેટ મિશન હેઠળ ઘાટીની મુલાકાતે શ્રીનગર પહોંચ્યા છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ અજીત ડોવાલે ઉચ્ચસ્તરીય અધિકારીઓ સાથે બેઠક યોજી. આ સાતે અજીત ડોવાલે અમરનાથમાં દર્શન પણ કર્યાં.
સૂત્રોને મળતી માહિતી મુજબ અજીત ડોભાલ બુધવારે જ શ્રીનગર પહોંચી ગયા હતા. શ્રીનગર પહોંચ્યા બાદ અજીત ડોભાલે સુરક્ષા તેમજ ગુપ્ત એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે અલગ-અલગ બેઠક યોજી ઘાટી અંગેની વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થા અંગેની જાણકારી પ્રાપ્ત કરી.
જો કે એક અહેવાલ મુજબ આ મુલાકાતને ટોપ સીક્રેટ રાખવામાં આવી હતી અને અજીત ડોવાલના શ્રીનગર પહોંચવાના થોડા સમય પહેલા જ સંબંધિત અધિકારીઓને બેઠક અંગેની જાણકારી આપવામાં આવી હતી.
NSA અજિત ડોવાલે રાજ્યપાલના સલાહકાર વિજય કુમાર, મુખ્ય સચિવ બીવીઆર સુબ્રહ્મણ્ય, ડીજીપી દિલબાગ સિંહ, આઇજી એસપી પાણિ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોને મળતી જાણકારી મુજબ અજીત ડોવાલ સાથે આઇબીના ઉચ્ચ અધિકારી પણ હતા. જો કે એક અહેવાલ મુજબ તેઓ આજે દિલ્લી પરત ફરશે. જો કે અજીત ડોવાલની મુલાકાતને લઇને કોઇપણ અધિકારીએ કોઇપણ ટિપ્પણી કરી નથી.
કાશ્મીરમાંથી 370ની કલ દૂર કરવાની અટકળો
કેન્દ્રની મોદી સરકાર બીજી વખત સત્તામાં આવ્યાં બાદ અજીત ડોવાલની ઘાટીની આ પ્રથમ મુલાકાત હતી. જ્યારે લોકો વચ્ચે તેમના આ સીક્રેટ મિશન પર ઘાટીમાં જ્યારે ચર્ચા જોવા મળી તો કલમ 370 તેમજ 35A ને હટાવાને લઇને અટકળો તેજ જોવા મળી. આ ચર્ચામાં આ કલમ હટાવવા પહેલા સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા અજીત ડોવાલ ઘાટીની મુલાકાતે આવ્યા હોવાની અટકળો ચાલી.