સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 80મા સ્થાપના દિવસના અવસર પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. ડોભાલે ગુરૂગ્રામમાં આયોજીત કાર્યક્રમમાં CRPFના યોગદાનને ખૂબ જ અગત્યનું ગણાવ્યું હતું અને દેશની આંતરિક સુરક્ષાનું ખુબ મહત્વનું યોગદાન છે. આ ઉપરાંત ડોભાલે પાકિસ્તાનને ચીમકી પણ આપી હતી તે જોઈએ આ અહેવાલમાં.
અજીત ડોભાલે CRPFના યોગદાનના કર્યા વખાણ
બીજા વિશ્વ યુદ્ધ બાદ 37 એવા દેશ હતા, જે તૂટી ગયા અથવા તો પછી પોતાની સંપ્રુભતાને ગુમાવી બેઠા. તેમાંથી 28નું કારણ આંતરિક સંઘર્ષ હતો. દેશ જો નબળા હોય છે તો તેનું કારણ કયાંકને કયાંક આંતરિક સુરક્ષાની કમી હોય છે. તેની જવાબદારી CRPF પર હોય છે અને આપણા દેશમાં CRPFની કામગીરી તમામ લોકો સમજી શકે છે અને તેઓ પોતાની કામગીરી ઉમદા રીતે નિભાવી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત વિભાજન દરમ્યાન CRPFના યોગદાનના વખાણ કર્યા હતા. ડોભાલે કહ્યું કે, હું પણ આ યુનિફોમ સાથે ભારતની સુરક્ષા સાથે 51 વર્ષથી જોડાયેલો છું. તેમાંથી 37 વર્ષ હું પણ પોલીસનો હિસ્સો રહ્યો હતો. મને સેના અને પોલીસની સાથે કામ કરવાની તક મળી, પરંતુ તમારા બળની ખાસ વિશેષતાઓ છે. આ જ એક બળ છે, જેમાં આટલી વિવિધતા છે. આ દળો ભારતના અનેક પડકારોને ઝેલી રહ્યા છે અને દેશની સુરક્ષામાં ખુબ જ મહતવનું યોગદાન છે.
ડોભાલે પાકિસ્તાનને આપી ચીમકી
અજિત ડોભાલે પુલવામા હુમલાના શહીદોને યાદ કર્યા હતા અને તેમને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સીઆરપીએફના જવાનોના શહાદત બાદ તેમને પાકિસ્તાને ધમકી આપી હોવાની પણ સ્પષ્ટતા કરી હતી અને પાકિસ્તાનને ચીમકી આપતા તેમને કહ્યું કે, તેઓ આતંકીઓને છાવરવાનું બંધ કરે નહી તો ભોગવવાનો વારો આવશે. ડોભાલે બે દેશની આ પ્રકારની સ્થિતિ બાદ પ્રથમ વખત જાહેરામાં નિવેદન આપ્યું હતું.
CRPFનો આજે 80 મો સ્થાપના દિવસ
CRPFનો આજે 80 મો સ્થાપના દિવસ છે ત્યારે પુલવામાંમાં CRPFના જવાનોના બલિદાનને કેમ ભૂલી શકાય. 14 ફેબ્રુઆરીની એ ઘટના કેવી રીતે ભૂલી શકાય. જ્યારે 40 માઈના લાલ શહીદ થઈ ગયા હતા, સવાસો કરોડનો દેશ સુમસામ થઈ ગયો હતો. CRPF એટલે કે, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ. પોતાના સ્થાપના દીને આજે જવાનોએ પરેડની સાથે-સાથે શક્તિ પ્રદર્શન પણ બતાવ્યું. પોતાની હિમત બતાવી. પોતાની કામ કરવાની શૈલી બતાવી અને દેશની સુરક્ષા માટે કેટલા અડ઼િખમ ઉભા છે તેની દુશ્મનોને ઝલક બતાવી. ગુરુગ્રામમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા.
NSA Ajit Doval at the 80th CRPF Anniversary Parade in Gurugram: What we have to do, which path we have to follow, what action is to be taken & at what time, our nation's leadership is capable & strong enough to take this decision & face every kind of challenge. https://t.co/VRO5P0Wn1d
આ અવસર પર અજીત ડોભાલે ભારતના ભાગલા દરમિયાન CRPFના યોગદાનના વખાણ કર્યાં. તેમણે કહ્યુ કે કદાચ લોકો ભૂલી ગયા છે કે ભારત-પાક ભાગલા દરમિયાન ઘણી ઓછી સંખ્યા હતી, પરંતુ CRPFએ જે ભૂમિકા અદા કરી હતી તેની પર પુસ્તકો લખી શકાય છે. આપણા જવાનોની હિંમત અને તેમની તાકાતના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. પરંતુ આજના દીવસે એ 40 વીર જવાનોને અને તેમને જન્મ આપનાર જનેતાને દેશ અને દેશનો દરેક નાગરીક સલામ કરે છે.