ઓસ્ટ્રેલિયા સિરીઝમાં પોતાની કપ્તાનીથી દરેકનું દિલ જીતનારા અજીંક્ય રહાણેએ કહ્યું છે કે તે ઉપકપ્તાન જ છે.
રહાણેએ વિરાટ માટે કહી મોટી વાત
તે ઉપકપ્તાન છે અને રહેશે
વિરાટ કેપ્ટન છે અને તે જ કેપ્ટન રહેશે
ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ટેસ્ટ સિરીઝમાં રહાણે ફરી ઉપકપ્તાન હશે. ઓસ્ટ્રેલિયામાં કેપ્ટન રહ્યાં બાદ ફરી ઉપકપ્તાન રહેવામાં તેમની માટે શું અલગ હશે તે પૂછવા પર રહાણેએ કહ્યું કે, વિરાટ કેપ્ટન હતા અને રહેશે હું ઉપકેપ્ટન હતો. તેની ગેરહાજરીમાં મને કપ્તાની આપવામાં આવી હતી અને મારું કામ ટીમ ઇન્ડિયાને જીત અપાવવાનું છે.
માત્ર કેપ્ટન બનવું મહત્વનું નથી. કેપ્ટનની ભૂમિકા તમે કેવી રીતે નિભાવો છો તે વધારે મહત્વનું છે. અત્યાર સુધી હું તેમાં સફળ રહ્યો છું અને આશા છે કે ભવિષ્યમાં પણ સારા પરિણામ આપી શકું. રહાણેની કપ્તાનીમાં ભારતે પાંચમાંથી 4 ટેસ્ટ મૅચ જીતી છે.
કોહલી અને રહાણેનો સંબંધ
કોહલી અને તેના સંબંધ પર રહાણેએ કહ્યું કે, મારુ અને વિરાટનું તાલમેલ પહેલેથી જ સરસ છે. તેણે સમય સમય પર મારી બેટિંગની તારીફ કરી છે. અમે ટીમ માટે ભારત તરફથી શાનદાર મૅચ રમી છે. તે ચોથા નંબર પર ઉતરે છે અને હું પાંચમા નંબર પર માટે અમારુ બોન્ડિંગ સારુ છે.
ખેલનું સન્માન
તેણે કહ્યું કે, અમે હંમેશા એક બીજાના ખેલનું સન્માન કર્યુ છે. અમે જ્યારે ક્રિઝ પર હોઇએ છીએ ત્યારે બૉલર વિશે વાત કરીએ છીએ. અમારામાંથી કોઇ પણ ખરાબ શોટ રમે છે તો અમે એકબીજાને ચેતવી દઇએ છીએ.
કોહલી કેવો કેપ્ટન
કોહલી કેપ્ટન તરીકે કેવો છે તે પૂછવા પર રહાણેએ જવાબ આપ્યો કે તે ખુબ ચતુર કેપ્ટન છે. તે મેદાન પર સારા નિર્ણય લે છે અને સ્પિનર તેમજ બોલિંગના મામલામાં તે મારા નિર્ણય પર ખુબ ભરોસો કરે છે.
વિરાટને ઘણી અપેક્ષા
વધુમાં રહાણેએ કહ્યું કે, વિરાટને મારાથી ઘણી અપેક્ષા છે અને હું હંમેશા એવો પ્રયત્ન કરુ છું કે તેની દરેક અપેક્ષા પર ખરો ઉતરું.