ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ બાદ તુરંત જ ટેસ્ટ અને ટી-ટ્વેન્ટી શ્રેણી રમાવાની છે. હવે ટી-ટ્વેન્ટી બાદ ટેસ્ટ ટીમનાં કેપ્ટન મુદ્દે ચર્ચા ચાલી રહી છે.
વર્લ્ડકપમાં ભારતની સફર દુઃખદ રીતે પૂરી થઈ
ન્યુઝીલેન્ડ સામે ટી-ટ્વેન્ટી અને ટેસ્ટ સીરિઝ
ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયાનાં કૅપ્ટન કોણ હશે એ સસ્પેન્સ
ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં ભારતની સફર દુઃખદ રીતે પૂરી થઈ હતી. કેપ્ટન વિરાટ કોહલીનો આ કેપ્ટન તરીકેનો છેલ્લો ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હતો. હવે પછી ન્યુઝીલેન્ડ સામે ટી-ટ્વેન્ટી અને ટેસ્ટ સીરિઝ રમાવા જઈ રહી છે. ન્યુઝીલેન્ડ સામે ટી-ટ્વેન્ટી સીરિઝમાં તો રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે એ નિશ્ચિત થઈ ગયું છે. અને હવે ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયાનાં કૅપ્ટન કોણ હશે એ સસ્પેન્સ પરથી પરદો ઉઠી ગયો છે.
જો કે દેખીતી રીતે વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટન્સી હજુ છોડી ન હોવાથી ટેસ્ટમાં ટીમના કાયમી કેપ્ટન તરીકે તો વિરાટ કોહલી જ રહેશે પરંતુ પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હોવાથી સિનિયર ખેલાડી અંજકયા રહાણે ભારતીય ટીમની કેપ્ટન્સી કરશે એ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.
ગુરુવારે સિલેક્શન કમિટીની મોટી બેઠક હોવાથી જલ્દી જ ટીમનું એલાન થવાની શક્યતા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાયનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો
ભારત અને ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી સીરિઝની શરૂઆત થવા જઈ રહી છે. સૌથી પહેલા ત્રણ ટી-20 સીરિઝ થશે અને ત્યાર બાદ બે ટેસ્ટની સીરિઝ થશે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પણ એક ભાગ જ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાયનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયા જોર લગાવશે.
રોહિતની પણ આરામની માંગ
વિરાટ આરામ પર છે ત્યારે ટેસ્ટ સીરિઝમાં રોહિતે પણ આરામની માંગ કરી હોવાનું બહાર આવ્યું હતું અને ટેસ્ટ શ્રેણીમા ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સી રોહિત કરશે એ પણ નિશ્ચિત થઈ ગયું છે. ત્યારે હવે રહાણે સૌથી સિનિયર ખેલાડી તરીકે અને ઓસ્ટ્રેલીયા સામે શ્રેણી વિજયનો રેકોર્ડ પણ ધરાવે છે.