નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલ બબાલ મામલે બોલીવુડ અભિનેતા અજય દેવગણે નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, "હું હંમેશાં માનું છું કે તથ્યો યોગ્ય રીતે પ્રગટ થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. હું દરેકને અપીલ કરવા માંગુ છું કે ચાલો ભાઈચારો વધારીએ અને ઇરાદાપૂર્વક અથવા અજાણતાં તેનો ભંગ ન કરીએ."
JNU માં ઘમાસાણ યથાવત
અજય દેવગણે વિવાદ મુદ્દે કર્યું ટ્વીટ
લોકોને શાંતિ રાખવાની કરી અપીલ
અજય દેવગણની ફિલ્મ તાનાજી 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને દેશભરના 3880 સ્ક્રીનો પર રિલીઝ થયેલી ફિલ્મને પહેલા જ દિવસે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
દીપિકા પાદુકોણ પણ JNU ના વિદ્યાર્થીઓને મળી હતી
આ તરફ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક પણ આ દિવસે એટલે કે 10 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ છે. દીપિકા ફિલ્મની રજૂઆત પહેલા જ વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે જેએનયુ પહોંચી હતી, પરંતુ તેનાથી તેમને ફાયદા કરતાં વધારે નુકસાન થયું છે.
I have always maintained that we should wait for proper facts to emerge.
I appeal to everyone- let us further the spirit of peace and brotherhood, not derail it either consciously or carelessly #JNUViolence
દીપિકા પાદુકોણની ફિલ્મને ફાયદો થવાને બદલે થયું નુકસાન
ફિલ્મ અચાનક વિવાદોમાં આવી ગઈ હતી અને જ્યારે એક મેગેઝિનએ છપાક વિશે બનાવટી સમાચાર પ્રકાશિત કર્યા ત્યારે સ્થિતિ વધુ વણસી ગઈ હતી. સમાચારમાં લખ્યું હતું કે દીપિકાની ફિલ્મમાં એસિડ ફેંકનાર છોકરાનું નામ નદીમથી બદલીને રાજેશ કરી દેવામાં આવ્યું છે. આ પછી, લોકોએ વાસ્તવિકતાને જાણ્યા વિના જ ટ્વીટ કરવાનું શરૂ કર્યું, અને ત્યારબાદ હજારો ટ્વીટ વાયરલ થવા લાગી છે.