અત્યારે દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. એક બીજુ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. ત્યાં બીજી બાજુ આ વાયરસથી દેશમાં 40થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ બધાંની વચ્ચે અત્યારે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અજય દેવગન તેની પત્ની કાજોલ અને દીકરી ન્યાસાને લઈને એક અફવાએ જોર પકડ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે, કાજોલ અને ન્યાસા કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. જે તદ્દન ખોટી વાત છે.
કાજોલ અને તેની દીકરીને કોરોના થયો હોવાની અફવા ફેલાઈ
કાજોલ અને દીકરી ન્યાસા કોરોના સંક્રમિત હોવાની અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવતા અજય આ અંગે પ્રતિક્રિયા આપી છે. અજયે ટ્વિટ કરી હકીકત જણાવી છે. અજયે આ તમામ સમાચારોને અફવા ગણાવી છે અને તેણે લખ્યું- પૂછવા માટે થેન્ક્યૂ. કાજોલ અને ન્યાસા એકદમ ઠીક છે. તેમના સ્વાસ્થ્ય વિશેની અફવાઓ જૂઠ છે.
Thank you for asking. Kajol & Nysa are absolutely fine. The rumour around their health is unfounded, untrue & baseless🙏
તમવે જણાવી દઈએ કે, થોડાં દિવસ પહેલાં જ ન્યાસામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા એવી અફવા ઉડી હતી. જે બાદ કાજોલ તેને લઈને હોસ્પિટલ પહોંચી હતી. આ સમાચાર ક્યાંકથી આવ્યા અને સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા. આ વાતને એટલે આટલું મહત્વ આપવામાં આવ્યું કારણ કે, થોડાં સમય પહેલાં જ કાજોલ અને તેની દીકરી ન્યાસા સિંગાપુરથી પરત આવ્યા હતા અને બંનેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. એરપોર્ટ પરની આ મા-દીકરીની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, અન્ય સેલિબ્રિટિસની જેમ સમગ્ર દેવગન પરિવાર પણ ઘરમાં જ રહેલાં છે. જોકે, કાજોલ અને અજય સહિત બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ પણ રહે છે અને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે. તમને જણાવી દઈએ કે, થોડાં દિવસ પહેલાં જ અજયે તેના ફેન્સને કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સેફ્ટી મેઝર્સ ફોલો કરવાની અપીલ પણ કરી હતી.