Ajay Devgn to infuse Rs 600 crore to launch multiplexes in remote parts of India
પ્લાન /
ફિલ્મો બાદ આ બિઝનેસમાં ઊતરશે અજય દેવગણ, કરશે 600 કરોડ રૂપિયાનું રોકાણ
Team VTV04:47 PM, 17 May 19
| Updated: 05:41 PM, 17 May 19
બોલીવુડ અભિનેતા અજય દેવગણ આવતા 5 વર્ષમાં પોતાના મલ્ટીપ્લેક્સ વેન્ચર NY સિનેમાઝમાં 600 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. પોતાના બે બાળકો ન્યાસા અને યુગ દેવગણના નમના શરૂઆતી અક્ષરની સાથે એને મલ્ટીપ્લેક્સ વેન્ચરનું નામ રાખ્યું છે.
બોલીવુડ એક્ટર અજય દેવગણે ઉત્તર પ્રદેશના હાપુડ અન ગાઝીપુરમાં બે સિંગલ સ્ક્રિન થિયેટર્સને પહેલાથી જ ખરીદેલું છે. હવે દેશના દૂરના વિસ્તારોમાં નવા મલ્ટીપ્લેક્સ ખોલવા માટે 600 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહ્યો છે. એક્ટર પોતાના મલ્ટીપ્લેક્સ વેન્ચર NY Cinemas Llp માં આવનારા 5 વર્ષમાં 600 કરોડનું નિવેશ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
મીડિયા સાથે વાતચીત કરતાં અજય દેવગણે કહ્યું 'મારો હેતુ છે કે હું દેશમાં ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં 250 સ્ક્રીન્સ ઓપન કરું.' અજય દેવગણના મલ્ટીપ્લેક્સ વેન્ચરનું પહેલું લૉન્ચ જૂનમાં મધ્યપ્રદેશના રતલામમાં થશે. NY સિનેમાનો ખાસ હેતુ રિમોટ એરિયામાં લોકોને મૉર્ડન થિયેટર્સની સુવિધા આપવાનો છે. આ ઉપરાંત અજય દેવગણે પ્રોજેક્ટ માટે વધારે જાણકારી આપી નથી.
અજય દેવગણના વર્કફ્રંન્ટની વાત કરીએ તો એની કૉમેડી ફિલ્મ દે દે પ્યાર દે થિયેટરોમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને સોશિયલ મીડિયા પર ખૂબ જ જોરદાર રિસ્પૉન્સ મળી રહ્યો છે.