થોડા દિવસો પહેલા જ JNUમાં થયેલી હિંસાને લઈને બોલીવૂડમાંથી ખુબ પ્રતિક્રિયાઓ આવી રહી છે. અને સોશિયલ મીડિયા પર વિવાદો પણ ચાલી રહ્યા છે. અને આ મામલે હજુ એક પ્રતિક્રિયા સામે આવી છે.
થોડા દિવસો પહેલા જ JNUમાં થયેલી હિંસાને લઈને બોલીવૂડમાંથી ખુબ પ્રતિક્રિયાઓ આવી રહી છે. અને સોશિયલ મીડિયા પર વિવાદો પણ ચાલી રહ્યા છે. અને આ મામલે હજુ એક પ્રતિક્રિયા સામે આવી છે. હવે અજય દેવગણે ટ્વીટ કરી પોતાની વાત મૂકી છે. તેમણે કહ્યું કે "મેં હંમેશા માટે નક્કી કરેલું છે કે આપણે સાચા પુરાવાની રાહ જોવી જોઈએ. હું સૌને અપીલ કરું છું કે આપણે શાંતિ અને ભાઈચારાની ભાવના સાથે આગળ વધવું જોઈએ. નહી કે જાણીજોઈને બેદરકારીથી આગળ વધવું જોઈએ.
અજય દેવગણના આ ટ્વીટ પર ફેન્સની ખાસી એવી પ્રતિક્રિયા આવી રહી છે. અજય ક્યારેક જ વિવાદસ્પદ મુદાઓમાં પોતાની રાય મુકે છે. હાલ અજય દેવગણની પોતાના કરિયરની 100મી ફિલ્મ "તાન્હાજી ધ અનસંગ વોરિયર" સિનેમાઘરોમાં આવી ગઈ છે. જેનો પબ્લિક દ્વારા પ્રથમ દિવસે જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. જ્યારે બીજી બાજુ દીપિકાની ફિલ્મ "છપાક" પણ રીલીઝ થઈ ગઈ છે જે ખુબ જ વિવાદો અને ચર્ચાઓથી ઘેરાયેલી છે.
I have always maintained that we should wait for proper facts to emerge.
I appeal to everyone- let us further the spirit of peace and brotherhood, not derail it either consciously or carelessly #JNUViolence