ઈન્ડસ્ટ્રીમાં કદાચ જ એવી કોઈ ફિલ્મના સીક્વલને લઈને ફેંસની વચ્ચે એટલો હાઈપ્ડ ક્રિએટ થયો હશે જેટલો દ્રશ્યમ-2 માટે છે. બાહુબલી બાદ જે એક્સાઈટમેન્ટ બાહુબલી-2ને લઈને હતી. એવી જ અજય દેવગનની મૂવી દ્રશ્યમ-2 માટે છે.
ખૂબ જ ચર્ચામાં છે અજયની ફિલ્મ દ્રશ્યમ-2
લોકોને વિજયની સ્ટોરીમાં રસ
ફિલ્મને લઈને ફેંસમાં એક્સાઈટમેન્ટ
બોલિવુડ માટે નફાને જોતા આ વર્ષ એટલું સારૂ નથી રહ્યું. એક-બે ફિલ્મોને છોડી દઈએ તો મોટાભાગની ફિલ્મો બિગ બજેટ, માટી સ્ટારકાસ્ટ હોવા છતાં બોક્સ ઓફિસ પર કોઈ ખાસ અસર નથી કરી શકી. પરંતુ આશા છે કે અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ-2 ધમાકેદાર કમાણી કરશે. પરંતુ ઓરિજનલ મલયાલમ ફિલ્મની તુલનામાં અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ-2 કેવી છે આ જાણવા માટે વાંચો ક્રિટિકના રિવ્યૂ.....
7 વર્ષ બાદ આવી રહી છે સીક્વલ
ઈન્ડસ્ટ્રીમાં કદાચ જ એવી કોઈ ફિલ્મના સીક્વલને લઈને ફેંસની વચ્ચે એટલો હાઈપ્ડ ક્રિએટ થયો હશે જેટલો દ્રશ્યમ-2 માટે છે. બાહુબલી બાદ જે એક્સાઈટમેન્ટ બાહુબલી-2ને લઈને હતી. એવી જ અજય દેવગનની મૂવી દ્રશ્યમ-2 માટે છે. રિલીઝ બાદ દર વર્ષે 2 ઓક્ટોબરે ફિલ્મને લઈને સિનેમા લવર્સની વચ્ચે મીમ્સ વાયરલ થતા રહ્યા છે. કદાચ એજ કારણ છે કે 7 વર્ષ બાદ સીક્વલ લઈને આવી રહેલી ફિલ્મની એડવાન્સ બુકિંગ પણ ખૂબ જ ઝડપી થઈ રહી છે.
શું છે ફિલ્મની સ્ટોરી?
ગોવામાં રહેતા વિજય સલગાંવકર, તેની ફેમિલી અને 2 ઓક્ટોબરે તેમની સાથે થયેલી દુર્ઘટના વિશે તો તમે જાણો જ છો. 'દ્રશ્યમ-2' સાત વર્ષ બાદ તેમની સ્ટોરીને આગળ વધારે છે. વિજયનો પરિવાર આજે પણ ડરેલો છે અને સોસાયટીથી કટઓફ છે. જી હાં, વિજય આ વચ્ચે કેબલ ઓપરેટરથી એક થિએટરનો માલિક બની ચુક્યો છે.
ફિલ્મોનો શોખીન વિજય હવે ફિલ્મ પ્રોડ્યુસ કરવા માંગે છે. સ્ટોરીને લઈને તેની મુલાકાત એક ફેમસ ડાયરેક્ટરથી થાય છે. જોકે વિજય પોતાની લખેલી ફિલ્મ ક્લાઈમેક્સથી ખુશ નથી. જેના ડ્રાફ્ટ પર ફરી કામ કરી રહ્યો છે. ત્યાં જ બીજી તરફ 2 ઓક્ટોબરે થયેલી ઘટના બાદ તેનો પરિવાર આઘાતમાં છે.
મોટી દિકરી અંજૂને જ્યાં એન્ઝાયટી એટેક આવે છે. તો ત્યાં જ માતા નંદની સલગાંવકર પણ પોલીસને જોઈને ડરી જાય છે. ગોવામાં એસપી તરૂણ અહલાગવત, જે મીરાના મિત્ર પણ છે. તેની બદલી થાય છે. અક્ષયના આવ્યા બાદ કેસ રિવાઈઝ થાય છે અને પોલીસ ફરી લાશને શોધવામાં લાગી જાય છે.
આ વખતે પોલીસ સંપૂર્ણ તૈયારી સાથે વિજય અને તેના પરિવારને પકડવા માંગે છે. જોકે તેમને ડિવડના રૂપમાં એક મહત્વપૂર્ણ પુરાવો મળે છે. ફરી ક્રિમિનલ ઈનવેસ્ટિગેશનમાં ફસાયેલા પરિવાર માટે વિજય હિરો સાબિત થઈ શકશે? શું પોલિસને બોડી મળી શકશે? ડેવિડની પાસે શું રાઝ છે? પોલીસ અને વિજયની જંગમાં કોણ જીતે છે? આ સવાલોના જવાબ તમને થિયેટરમાં મળી જશે.
ડાયરેક્શન
નિશિકાંત કામતના મોત બાદ અભિષેક પાઠકે ફિલ્મના સીક્વલની કમાન પોતાના હાથમાં લીધી. દ્રશ્યમની સુપરસક્સેસ બાદ લોકડાઉનમાં ખાલી બેઠેલા ઘણા સિનેમાલવર્સે મલયાલમ વર્ઝન જોયું. તો જાહેર છે કે ડાયરેક્ટર પર પ્રેશર જરૂર રહેશે. એવું કહેવું ખોટુ નહીં હોય કે અભિષેકે સંપૂર્ણ ઈમાનદારીથી કામ કર્યું છે.
ભલે તમને ક્લાઈમેક્સ પહેલાથી ખબર હોય પરંતુ આખી ફિલ્મ વખતે તમારો ઈન્ટ્રેસ્ટ એવો જ રહેશે. જોકે મલયાલમ ફિલ્મમાં ફર્સ્ટ હાફ વધારે લાંબો ખેંચવામાં આવ્યો હતો. જ્યારે તેની તુલનામાં અહીં મેકર્સે સ્માર્ટ પ્લે કરતા તેને થોડુ ક્રિપ્સ રાખ્યું છે.