સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મ 'પદ્માવત' રિલીઝ થયા પછી પણ ફિલ્મને લઇને વિરોધ થઇ રહ્યો છે. કરણી સેના ફિલ્મનો વિરોધ કરવા માટે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને તોડફોડ કરી રહી છે. ફિલ્મ 'પદ્માવત'ના વિરોધની આગની ચપેટમાં બોલિવુડમાં એક્ટર અજય દેવગવ પણ આવી ગયો છે. સૂત્રોનુસાર બોલિવુડ સ્ટાર દીપિકા પાદુકોણ રણબીર કપૂર અને શાહિદ કપૂરની ફિલ્મ 'પદ્માવત' દેખાડવા પર અજય દેવગનની માલિકી હેઠળા થિયેટર પર કરણી સેનાના લોકોએ તોડફોડ કરી હતી.
રિપોર્ટ્સ મુજબ ઉત્તર પ્રદેશમાં અજય દેવગણની માલિકીના થિયેટર પર પણ કરણી સેનાએ હુમલો કરી દીધો હતો. થિયેટરના મેનેજરે જણાવ્યા મુજબ પદ્માવતની એડવાન્સ બુકિંગ શરૂ થવાની જ હતી કે અમુક લોકો આવી ગયા અને વિરોધ પ્રદર્શન કરવા માંડ્યા. રિપોર્ટ્સ મુજબ અજય દેવગણના થિયેટરમાં ખાસ્સી તોડફોડ થઈ હતી. ટોળાએ થિયેટરમાં તોડફોડ કરીને ફિલ્મ રીલીઝ ન કરવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અજય દેવગણે ગયા વર્ષે જ ઉત્તરપ્રદેશમાં ચાર સિંગલ સ્ક્રીન થિયેટર્સ ખરીદ્યા હતા. તે આ થિયેટરોને મલ્ટીપ્લેક્સમાં બદલવા માંગે છે. અજય માને છે કે ઉત્તર પ્રદેશમાં વસ્તીની સરખામણીએ થિયેટર્સ ઓછા છે.
પદ્માવતની વાત કરીએ તો આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. ફિલ્મે પહેલા જ દિવસે 18 કરોડની કમાણી કરી રહી છે.