મલ્ટીસ્ટાર ફિલ્મ 'સૂર્યવંશી' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટ હાજર હતા. તે દરમિયાન અજય દેવગનને પત્રકાર દ્વારા સૈફ અલી ખાનથી જોડાયેલા પ્રશ્નો પૂછ્યા. તે સવાલ અજય અને સૈફ વચ્ચેની બોલચાલથી જોડાયેલા હતો. તે સવાલનો જવાબ અજયે એવો આપ્યો કે તમે જાણી આશ્ચર્ય ચકિત થઇ જશો.
હું તેણા ઘરે ગયો હતો અને મેં તેને ખુબ માર્યો હતો: અજય દેવગન
સૈફ અલી ખાને ફિલ્મ તાનાજીની સ્ટોરી અંગે વ્યક્ત કરી નારાજગી
તાનાજીમાં ઇતિહાસની ખોટી વ્યાખ્યા કહેવામાં આવી છે: સૈફ અલી ખાન
ખરેખર, 'તાનાજી ...' પછી સૈફ અલી ખાને ફિલ્મની સ્ટોરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જેને લઈને ચર્ચા છે કે અજય અને સૈફ વચ્ચે અણબન છે. તેણે લગતા સવાલો પર અજયે કહ્યું 'હું તેણા ઘરે ગયો હતો અને મેં તેને ખુબ માર્યો હતો. તેના પગ પણ તોડી નાખ્યા, તેથી તે અત્યારે પણ ચાલી શકતો નથી. તમને બધાને આ જે સમાચારો મળે છે તે વિશે હું શું કહી શકું છું. ત્યારબાદ અભિનેતાએ કહ્યું- 'એવું કહી પણ નથી અને બંને વચ્ચે સારો સંબંધ છે. ખબર નહી લોકોને ક્યાંથી આવા સમાચાર મળી રહ્યા છે. પરંતુ તેમાં કોઈ આધાર નથી'.
સૈફ અલી ખાને ઇન્ટરવ્યુમાં કહ્યું- 'તાનાજીમાં ઇતિહાસની ખોટી વ્યાખ્યા કહેવામાં આવી છે. કોઈ પણ ફિલ્મની વ્યવસાયિક સફળતા મેળવવામાં ઇતિહાસને લગતા ખોટા અર્થઘટનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાચી વાત છે કે, તેના રાજકારણના તથ્યો સાથે કોઈ મેળ નથી. હું આ વિશે માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પણ ભારતીય તરીકે પણ સંમત છું. મેં પહેલા પણ આવા રાજકારણ પર સવાલ ઉઠાવ્યા છે. કદાચ હવે હું આ પ્રકારની સ્ટોરીને લઈને સાવચેત રઈશ'.
સૈફને આ નિવેદન પછી ટ્રોલ પણ કરવામાં આવ્યું હતું. એક યુઝર્સે લખ્યું- 'મને વિશ્વાસ છે કે, ઇતિહાસ વાંચવા વાળા સૈફ અલી ખાને તૈમુર વિશે કઈ પણ સાંભળ્યું હશે નહિ, જે એક તૂર્ક-મંગોલ વિજેતા છે જેણે 1400 ની આસ-પાસના સમયગાળા દરમિયાન, એશિયામાં ઘણું વિનાશ કર્યું હતું. નહીં તો તે ક્યારેય પોતાના દીકરાનું નામ તૈમૂર ન રાખે.
'તાનાજી' ફિલ્મના રિલીઝને 50 દિવસ થઇ ગયા છે. આ ફિલ્મ અત્યાર સુધીમાં કુલ 278 કરોડનું કલેકશન કરી ચુકી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020 ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું હતું. આ ફિલ્મમાં કાજોલે અજય દેવગનની પત્નીની ભૂમિકા નિભાવી હતી.