અજય દેવગણે ફિલ્મ ભોલાના મહાઆરતીના કેટલાક ફોટા શેર કરતાં કહ્યું કે બનારસમાં મહાઆરતીનો સીન શુટ કરતી વખતે દિવ્યશક્તિનો અનુભવ થયો હતો
અજય દેવગણે ફિલ્મ ભોલાના મહાઆરતીના ફોટા શેર કર્યા
મહાઆરતીનો સીન શુટ કરતી વખતે દિવ્યશક્તિનો અનુભવ
30માર્ચના દિવસે રિલીઝ થશે ફિલ્મ 'ભોલા'
બોલિવૂડ એક્ટર અજય દેવગણ આ દિવસોમાં એમની આવનારી ફિલ્મ ભોલાને લઈને ખૂબ જ ચર્ચામાં છે અને લોકો એમની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે મહાશિવરાત્રીના શુભ અવસર પર, અજય દેવગણે ફિલ્મ ભોલાના મહાઆરતીના કેટલાક ફોટા શેર કર્યા છે જે હાલ ઘણા વાયરલ થઈ રહ્યા છે. ચાહકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં 'હર હર મહાદેવ' લખીને શિવરાત્રીની શુભકામના પાઠવી રહ્યા છે.
એક દિવસ આપમેળે થઈ જાય છે - અજય દેવગણ
અજય દેવગણે ઈન્સ્ટાગ્રામ પર ચાર તસવીરો શેર કરી છે અને આ તસવીરોમાં તે ભોલેનાથની પૂજા કરતો જોવા મળી રહ્યા છે. હાલ આ ફોટોસ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. આ સાથે જ અજયે કેપ્શનમાં લખ્યું છે કે, 'ક્યારેક ડિરેક્ટર રાહ જોઈએ છે, આવી અનરિયલ જાદુઈ ફ્રેમની... અને એક દિવસ તે આપમેળે જ થઈ જાય છે. એ દિવસે હું બનારસમાં મહા આરતીનો સીન શુટ કરી રહ્યો હતો અને મેં એક એવો જાદુ અનુભવ્યો જે ફક્ત અનુભવી શકાય તેને લગભગ શબ્દોમાં વ્યક્ત ન કરી શકીએ..
જેમ લોકોએ 'હર હર મહાદેવ' નો નારો લગાવ્યો
અજય દેવગણે કેપ્શનમાં આગળ લખ્યું કે 'આ સ્થળની આધ્યાત્મિક ઉર્જા અને લોકોની ભક્તિ-શ્રદ્ધા, બધા એક ફ્રેમમાં ભેગા થયા.જેમ ત્યાં હજાર ભીડે 'હર હર મહાદેવ' ના નારા લગાવ્યા, ત્યારે મને મારી ચારે બાજુ એક પવિત્ર અજોડ શક્તિનો અનુભવ થયો.આજે મહાશિવરાત્રીના શુભ અવસર પર હું મારી ફિલ્મ ભોલાની એક ફ્રેમ શેર કરી રહ્યો છું. જાદુની તલાશ કરો અને તમે તેને જોઈ શકશો.. હર હર મહાદેવ'
30માર્ચના દિવસે રિલીઝ થશે ફિલ્મ 'ભોલા'
જણાવી દઈએ કે અજયની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ દૃષ્ટિમ 2 બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને ટ્રેડ એનાલિસ્ટ આ વખતે પણ એવી જ અપેક્ષા રાખી રહ્યા છે. ભોલા 2019ની તમિલ ફિલ્મ કૈથીની રિમેક છે.ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં છે તેની સાથે તબ્બુ પણ લીડ રોલમાં જોવા મળશે. તે જ સમયે, ફિલ્મમાં સંજય મિશ્રા, ગજરાજ, વિનીત કુમાર સિંહ અને દીપક ડોબરિયાલની મજબૂત ભૂમિકાઓ પણ જોવા મળશે. આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થશે.