સુરતના બહુચર્ચિત વેવાઈ-વેવાણ ગઇકાલે ફરીથી ફરાર થઈ ગયા હતા. ત્યારે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે વેવાઈ તેમની દીકરીના લગ્ન સંપન્ન કરાવવા માટે જ પાછા ફર્યા હતા.
સુરતનું બહુચર્ચિત વેવાઇ-વેવાણ પ્રેમ પ્રકરણ
વેવાઇ-વેવાણ ફરીથી થયા ફરાર
વેવાઈ તેમની દીકરીના લગ્ન સંપન્ન કરવા પરત ફર્યા હોવાની ચર્ચા
ઉલ્લેખનીય છે કે, 13 ફેબ્રુઆરીએ તેમની દીકરીના લગ્ન યોજાયા હતા 15 દિવસ બાદ ફરી વેવાઈ અને વેવાણ સાથે ફરાર થયા છે. વેવાઈ અને વેવાણ પ્રથમવાર ફરાર થઈ ગયા બાદ વેવાઈને તેમના પરિવારે સ્વીકાર કરી લીધા હતા. જોકે વેવાણને તેમના પતિએ સ્વીકાર્યા ન હતા. જેથી તે તેમના પિતાના ઘરે રહેતા હતા. આ કારણોસર વેવાઈ વ્યથિત હતા અને આમ ફરી એકવાર વેવાઈ અને વેવાણ ભાગી ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
શું છે વેવાણ-વેવાઈની લવસ્ટોરી
આ લવલ્ટોરી બહુ પુરાણી છે. સુરતક અને નવસારીના બે યુવક યુવતીના લગ્ન થવાના હતા પરંતુ દીકરીની માતા અને દીકરાના પિતા વચ્ચે બચપણમાં અધુરો રહી ગયોલો પહેલો પ્રેમના અરમાનો જાગી ઉઠ્યા હતા અને પોતાના સંતાનોના લગ્ન કરાવવાની જગ્યાએ આ વેવાઈ-વેવાણ એકબીજા સાથે ઉજ્જૈન ભાગી ગયા હતા.
જો કે, 16 દિવસ સાથે રહીને બંને પરત ફર્યા હતા જેમાં વેવાણને તો પતિએ ઓળખવાની જ ના પાડી દેતા તેણે પોતાના પિયર જવું પડ્યું હતુ જ્યારે વેવાઈ પોતાના ઘરે પરત ફરી ગયા હતા. આ સ્ટોરી હાલ ઘર ઘરમાં જાણીતી થઈ ચુકી છે. જો કે હવે વેવાણ અને તેમના પતિ વચ્ચે સમાધાન થઈ ગયુ છે.
દીકરીના પિતાએ વિવાહ ફોક કર્યા હતા
નવસારીમાં રહેતી દીકરીના પિતાએ લગ્ન તો તોડી નાખ્યા પણ પોતાની દીકરીના લગ્ન માટે ચડાવેલા સોનાના દાગીના સહિતનો સામાન સુરત ખાતે રહેતા પોતાના સંબંધી પાસે મોકલી આપ્યો હતો. સંબંધીએ એક યુવકને આ સામાન વેવાઈને ત્યાં આપવા મોકલ્યો હતો.