દિવાળીથી ઠીક પહેલા બેન્કોમાં હડતાળથી કામકાજ પ્રભાવિત થઇ શકે છે. 10 બેન્કોના વિલયના વિરોધમાં 22 ઓક્ટોબરે હડતાળની જાહેરાત કરાઇ છે. અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ અને ભારતીય બેન્ક કર્મચારી સંઘ તરફથી બોલાવવામાં આવેલી હડતાળને ભારતીય ટ્રે઼ડ યૂનિયન કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. જો આ હડતાળ થાય છે તો દિવાળી પહેલા 5 દિવસોમાંથી 3 દિવસ બેન્ક બંધ રહેશે.
દિવાળીથી ઠીક પહેલા બેન્કોમાં હડતાળથી કામકાજ થશે પ્રભાવિત
ભારતીય ટ્રેડ યૂનિયન કોંગ્રેસે 22 ઓક્ટોબરની દેશવ્યાપી બેન્ક હડતાળનું સમર્થન કર્યું
સાર્વજનિક ક્ષેત્રની 10 બેન્કોના વિલય કરી ચાર બેન્ક બનાવવાના વિરોધમાં હડતાળ
સરકારે 10 સરકારી બેન્કોના વિલયથી 4 મોટી બેન્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. બેન્ક કર્મચારી તેનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય ટ્રેડ યૂનિયન કોંગ્રેસે 22 ઓક્ટોબરે પ્રસ્તાવિત દેશવ્યાપી બેન્ક હડતાળનું સમર્થન કર્યું છે.
ભારતીય ટ્રેડ યૂનિયન કોંગ્રેસે બુધવારે એક નિવેદનમાં કહ્યું, 'અમે અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ અને ભારતીય બેન્ક કર્મચારી સંઘ દ્વારા 22 ઓક્ટોબરે સંયુક્ત રીતે બોલાવેલી દેશવ્યાપી બેન્ક હડતાળનું સમર્થન કરીએ છીએ. આ હડતાળ સરકારના સાર્વજનિક ક્ષેત્રની 10 બેન્કોના વિલય કરી ચાર બેન્ક બનાવવાના વિરોધમાં બોલાવાઇ છે. આ છ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય બેન્કોને બંધ કરવામાં આવશે.' એમણે સરકારનો આ નિર્ણય ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ અને અનપેક્ષિત બતાવ્યો.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આંધ્રા બેન્ક, અલાહાબાદ બેન્ક, સિન્ડિકેટ બેન્ક, કોર્પોરેશન બેન્ક, યૂનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સને હવે બંધ કરવામાં આવશે. આ તમામ સારુ પ્રદર્શન કરનારી બેન્ક છે. તમામ બેન્કે દેશના આર્થિક વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. આ તમામનો પોતાનો ઇતિહાસ છે અને સમયની સાથે તે મોટી બેન્ક બની છે.
એમણે કહ્યું કે, પૂર્વમાં ભારતીત સ્ટેટ બેન્ક અને બેન્ક ઓફ બરોડાનો વિલય કરાયો. પરંતુ એ વાતનો કોઇ પૂરાવો નથી કે તેનો કોઇ સકારાત્મક પરિણામ આવ્યા હોય. આ બેન્કોના વિલયનો પ્રયોગ કરવાનો સમય નથી. હાલ બેન્કોની જરૂરિયાત અર્થવ્યવસ્થાને ઉપર ઉઠાવવા માટે છે.