લતાદીદીના નિધન બાદ શાહરુખ ખાન પછી ઐશ્વર્યા રાયને યુઝર્સ કરી રહ્યા છે ટ્રોલ. સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પોસ્ટ મૂકતા ટ્રોલ થઇ ઐશ્વર્યા રાય બચ્ચન
શાહરુખ ખાન બાદ ઐશ્વર્યા થઇ ટ્રોલ
લતા દીદીને શ્રદ્ધાંજલિ પાઠવતી મૂકી પોસ્ટ
યુઝર્સે મોડા પોસ્ટ કરવા બદલ કરી ટ્રોલ
લતા મંગેશકરનું નિધન થતા બોલિવુડ સેલેબ્સે સોશિયલ મીડિયા તથા પ્રત્યક્ષ રીતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જેમાં શાહરુખ ખાને દુઆ કર્યા બાદ ફૂંક મારવાની ઘટનાને લઇને યુઝર્સે સખત રીતે ટ્રોલ કર્યો હતો. ત્યારે હવે ઐશ્વર્યા ટ્રોલર્સના નિશાને ચઢી છે. લતા દીદીની ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકીને શ્રદ્ઘાંજલિ પાઠવતા યુઝર્સ ઐશ્વર્યાને પણ ખરી ખોટી સંભળાવા લાગ્યા છે.
શું પોસ્ટ કર્યુ ઐશ્વર્યાએ ?
ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહેતી નથી. તેણે 7 ફેબ્રુઆરીની રાત્રે ઇન્સ્ટા પર લખ્યું, કે શબ્દો નથી... તમારા દિવ્ય આત્માને શાંતિ મળે, લતાજી... ભગવાન આશીર્વાદ આપે... તમારા અને તમારા આશીર્વાદ માટે ખૂબ આભારી... .
ઐશ્વર્યાની પોસ્ટ પર ઘણા લોકો લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી છે. તો બીજી તરફ લેટ પોસ્ટ કરવા બદલ ઐશ્વર્યાને ટ્રોલ પણ કરવામાં આવી. એક યુઝર્સે લખ્યું છે કે ખૂબ જ ઝડપથી યાદ આવી ગયું. બીજાએ લખ્યું છે કે, હદ છે, આટલું મોડું
શું હતું શાહરુખ ખાનના વીડિયોમાં ?
સોશિયલ મીડિયામાં એક તસવીર સામે આવી છે જેમાં શાહરુખ અને તેની મેનેજર પૂજા દદલાની લતા મંગેશકરના પાર્થિવ દેહની સામે પ્રાર્થના કરી રહ્યા છે. એક વીડિયો પણ સામે આવ્યો તછે જેમાં શાહરુખ ખાન દુઆ પઢ્યા પછી માસ્ક ઉતારે છે. આ વીડિયો જોઇએ સોશિયલ મીડિયામાં યુઝર્સ શાહરુખને ટ્રોલ કરી રહ્યા છે. ગુસ્સે થઇ રહ્યા છે. કેટલાક યુઝર્સ તો એવું પણ કહી રહ્યા છે કે શાહરુખે માસ્ક ઉતાર્યા બાદ લત્તાજીના પાર્થિવ શરીર પર થૂંક્યું.
શાહરૂખ ખાનના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ઘણા લોકો શાહરૂખ ખાનની આકરી ટીકા કરી રહ્યા છે. જોકે ઘણા યુઝર્સે આ ઘટના અંગે કહી રહ્યા છે કે શાહરુખ ખાને થૂંક્યુ નથી. પરંતુ વાસ્તવમાં શાહરૂખે દુઆ પઢ્યા પછીફૂંક મારી હતી. ઇસ્લામ ધર્મમાં દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે દુઆ પઢ્યા બાદ ફૂંક મારવામાં આવે છે.
Shah Rukh Khan reading a dua and blowing on Lata ji’s mortal remains for protection and blessings in the next life. Cannot comprehend the level of bitterness of those saying he is spitting. pic.twitter.com/JkCTcesl86