ઐશ્વર્યા રાયને કોઇ ઓળખાણની જરૂર નથી. બચ્ચન બહુના ટેગ પહેલા પણ તેની અલાયદી એક ઓળખાણ છે. ઘણા ઓછા લોકો જાણતાં હશે કે ઐશ્વર્યાના પહેલા પણ લગ્ન થઇ ચૂક્યા છે.
ઐશ્વર્યા રાયના અભિષેક સાથે બીજા લગ્ન
2007માં કર્યા ઐશ્વર્યાએ લગ્ન
પહેલા લગ્નની કહાણી સાંભળીને ચોંકી જશો
2007માં ઐશ્વર્યાએ કર્યા લગ્ન
અભિષેક બચ્ચન સાથે ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂકેલી ઐશ્વર્યાને જુનિયર બચ્ચન સાથે પ્રેમ થઇ ગયો હતો. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2007માં લગ્ન કરી લીધા હતા.
પહેલા પણ થઇ ચૂક્યા છે લગ્ન
ઘણા ઓછા લોકોને ખબર હશે કે ઐશ્વર્યાના અભિશેક કરતાં પણ પહેલા એક લગ્ન થઇ ચૂક્યા છે. હવે તમે વિચારતાં હશો કે સલમાન કે વિવેક કોની સાથે લગ્ન કર્યા હશે પરંતુ ઐશ્વર્યાના લગ્ન વડના ઝાડ સાથે કરવામાં આવ્યા હતા. જે બાદ તેણે અભિષેક સાથે લગ્ન કર્યા હતા.
ઇન્ટરવ્યૂમાં સંભળાવ્યો જોરદાર કિસ્સો
થોડા વર્ષો પહેલા એશ્વર્યા અને અભિશેકે એક ઇન્ટરવ્યૂમાં આ કિસ્સો સંભળાવ્યો હતો. લગ્નના રાઝ ખોલ્યા હતા અને દર્શકોને પણ આ કિસ્સો જાણીને મજા આવી હતી.
ઐશ્વર્યાએ ઝઘડાની વાત સ્વીકારી લીધી હતી
આ વાતચીતમાં કપલે કબૂલ્યું હતું કે સામાન્ય કપલની જેમ તેઓ ઘણી વખત ઝઘડો પણ કરતા હતા. ઐશ્વર્યાએ પણ આ બાબતે હા પાડી હતી કે તે અને અભિષેક નાની નાની વાત પર લડતા હતા. તેણે કહ્યું કે તે મતભેદ હતો, ઝઘડો નહીં. કારણ કે જો ઝઘડા ન હોત તો જીવન કંટાળાજનક બની જાય
શા માટે અભિષેકે માફી માંગી
આ ઇન્ટરવ્યૂમાં અભિષેકે તેના લગ્ન જીવનને યોગ્ય રીતે ચલાવવાનું એક રમુજી રહસ્ય જાહેર કર્યું. તેણે કહ્યું કે અમે સાથે મળીને નક્કી કર્યું હતું કે અમે લડ્યા પછી સૂઈશું નહીં. તેથી જ તે દરરોજ રાત્રે સૂતા પહેલા દિવસની દરેક ભૂલની માફી માંગતો હતો. જેના પર અભિષેકે કહ્યું, 'મહિલાઓ પોતાની ભૂલો સ્વીકારતી નથી, તેથી મોટાભાગની લડાઈમાં તેઓ માફી માગતા હતા.'