બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને એશ્વર્યા રાયે સાથે ફિલ્મો કરી છે અને તેમની જોડીને હંમેશા વખાણવામાં આવી છે.
શાહરુખ ખાને ઐશ્વર્યાને ફિલ્મોમાંથી કઢાવી હતી
ઐશ્વર્યાએ ઇન્ટરવ્યૂમાં સ્વિકારી હતી આ વાત
દેવદાસ, જોશ, જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે
શાહરુખ અને એશ્વર્યાએ દેવદાસ, મોહબ્બત અને જોશ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. એક સમય એવો પણ હતો કે શાહરૂખ અને એશ્વર્યાના સંબંધો વણસી ગયા હતા. શાહરુખે એશ્વર્યાને ઘણી ફિલ્મોમાંથી કઢાવી દીધી હતી.
સલમાન હતો કારણ?
શાહરૂખની ફિલ્મ ચલતે ચલતેમાં લીડ રોલમાં એશ્વર્યા રાયને લેવાની હતી પરંતુ તે જ સમયે સલમાન અને એશ્વર્યા વચ્ચે સંબંધ વણસી ગયા હતા. કહેવામાં આવે છે કે સલમાન સેટ પર આવીને મુશ્કેલીઓ ઉભી કરતો હતો. એક વાર સલમાને એશ્વર્યા સાથે મારપીટ પણ કરી હતી. તે બાદ શાહરૂખે નિર્ણય કર્યો કે ચલતે ચલતેમાં રાની મુખર્જીને કાસ્ટ કરવામાં આવી હતી.
1 કે 2 નહી 5 ફિલ્મમાંથી કઢાવી
કહેવામાં આવે છે કે ચલતે ચલતે બાદ એશ્વર્યાને આવી 5 ફિલ્મોમાંથી કાઢવામાં આવી હતી જેમાં તેના ઓપોઝીટ શાહરૂખ ખાન હતો. તેમાંથી એક ફિલ્મ વિર ઝારા હતી જેમાં પ્રિટી ઝીન્ટાને કાસ્ટ કરવામાં આવી હતી.
એશ્વર્યાએ પણ માની વાત
એશ્વર્યા રાયે પણ બાદમાં સીમિ ગ્રેવાલના ટોક શોમાં આ વાતને માની હતી કે તેને શાહરૂખની ફિલ્મોમાંથી કાઢવામાં આવી હતી. એશ્વર્યાએ કહ્યું કે, હાં એક સમયે આવું થયુ હતુ કે અમારી વચ્ચે સંબંધો વણસી ગયા હતા પરંતુ બાદમાં બધુ ઠીક થઇ ગયું હતું. તેના બાદ હું ક્યારેય કારણ પૂછવા પણ ગઇ નથી.
શાહરુખે માંગી હતી માફી
કહેવામાં આવે છે કે 2009માં શાહરુખ ખાને કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં એશ્વર્યાની માફી માંગી હતી કે મુશ્કેલ સમયમાં તે મદદ કરી શક્યો નહી. જે બાદ શાહરુખ એશ્વર્યા અને અભિષેકને તેના ઘરે મન્નત લઇ ગયો હતો અને ચારે લોકોએ સવાર સુધી પાર્ટી કરી હતી.