બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો આજે જન્મ દિવસ છે. ઐશ્વર્યા રાય બચ્ચન એક દીકરીની માતા હોવા છતાં પણ સુંદર દેખાય છે. તેનું ગ્લેમર 40 વર્ષે પણ અકબંધ છે. ઐશ્વર્યાના સુંદર અને યંગ દેખાવવા પાછળનું કારણ તેના દ્વારા કરાતી સ્કીનની દેખરેખ છે. ઐશ્વર્યા સ્કીનની કેર કરવા માટે ખાસ ઉબટન લગાવે છે અને તેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો અને ઉપયોગ કરી શકો છો. તેને રોજ સ્કીન પર લગાવવાથી તમારી સ્કીન યંગ દેખાશે અને સ્કીન પરના ડાઘ ધબ્બા પણ ગાયબ થશે. તો કરી લો આજથી જ ટ્રાય.
ઐશ્વર્યા રાય બચ્ચનનો આજે જન્મ દિવસ
સ્કીનની કેર કરવા માટે ખાસ ઉબટન લગાવે છે
ઘરેલૂ ઉબટનથી સ્કીન યંગ દેખાશે અને ડાઘ ગાયબ થશે
ઉબટન બનાવવાની સામગ્રી
ચણાનો લોટ - 2 મોટી ચમચી
હળદર - નાની અડધી ચમચી
દૂધ - 2 મોટી ચમચી
આ રીતે બનાવો ઉબટન
સૌ પહેલાં એેક બાઉલ લો અને તેમાં તમામ સામગ્રી મિક્સ કરી લો. તેને મસાજ કરતાં કરતાં ચહેરા પર લગાવો. થોડો સમય તેને ચહેરા પર રહેવા દો અને પછી તેને ઘસીને કાઢો. ધ્યાન રાખો કે જો તમારા ફેસ લપર પિમ્પલ છે તો તે જગ્યાએ ઉબટન ન લગાવો. તમે રોજ આ ઉબટન લગાવશો તો સ્કીન યંગ બનશે, ગ્લો કરશે અને સાથે જ સ્કીનના ડાઘ ગાયબ થશે.
કઈ રીતે કરશે ફાયદો
આ ઉબટન કોઈ પણ સ્કીન ટાઈપ માટે યૂઝ કરી શકાય છે. જો તમને બ્લેકહેડ્સ કે એક્નેની સમસ્યા છે તો તે પણ આનાથી દૂર થશે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. આ ઉબટન લગાવવાથી સ્કીન પર કોઈ ઈન્ફેક્શન છે તો તે પણ દૂર થશે. તેમાં હળદર હોવાથી સ્કીનને ઘણો ફાયદો કરે છે અને તમારો સ્કીન ટોન પણ બદલાય છે. એન્ટિસેપ્ટીક હળદર અને દૂધ સ્કીનને મોશ્ચરાઈઝ કરે છે. તેનાથી સ્કીન ટાઈટ અને ફ્રેશ દેખાય છે.