આ ગણેશ ચતુર્થી પર ઐશ્વર્યાને લઇને જે સમાચાર સામે આવ્યા છે એ ખૂબ જ હેરાન કરી દે એવા છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો એક ફોટો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એ ટકલી જોવા મળી રહી છે. આ ફોટા સાથે એક મેસેજ પણ મોકલવામાં આવ્યો છે કે ઐશ્વર્યા પોતાના વાળ તિરુમલાના શ્રી વેંકટેશ્વર સ્વામીના મંદિરમાં ભેટમાં આપી દીધા છે.
આ ફોટાની સાથે જે મેસેજ હતો એમાં લખ્યું હતું 'દરેક વખત સુંદર દેખાવવું જ સાચી સુંદરતા છે...ઐશ્વર્યા રાય બચ્ચનએ પોતાના વાળ તિરુમલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દાન આપી દીધા છે.'
બે દિવસથી આ ફોટો વાયરલ થઇ રહ્યો છે. લોકોએ આ સમાચાર પર વિશ્વાસ પણ કરી લીધો હતો. પરંતુ આ બધું અલગ જ છે. ઐશ્વર્યા મોટાભાગે મંદિરમાં દર્શન કરવા જતી હોય છે.
એના ફોટા સાથે છેડછાડ કરવામાં આવી છે. જેમાં એને ફોટોશોપ દ્વારા ટકલી કરી દેવામાં આવી છે. જણાવી દઇએ કે ઐશ્વર્યાહાલમાં પોતાની આગળની ફિલ્મ ફન્ને ખાં ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં એનો હીરો આરમાધવન છે.