સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદથી બધા લોકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યાં છે. હાલમાં જ બિગ બીએ એક વીડિયો દ્વારા નાણાવટી હોસ્પિટલના સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો ત્યારે નાણાવટીના ડોક્ટર્સનું નિવેદન આવ્યું છે કે બિગબીની તબિયત સુધારા પર છે. સાથે જ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, બીગબીની વહુ એશ્વર્યા અને પૌત્રી આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.
બચ્ચન પરિવારના ચાર સભ્યો પોઝીટીવ
એશ-આરાધ્યા પણ કોરોનાની ઝપેટમાં
બચ્ચનને ગઇ કાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા બાદ સમગ્ર પરિવારનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, ત્યારે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને અભિષેક બચ્ચનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. એશ તેમજ આરાધ્યાના રિપોર્ટ આવવાના બાકી હતી.
સૂત્રો અનુસાર એશ તેમજ આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.બચ્ચને જાતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમણે ટ્વિટના મધ્યમથી કહ્યું હતું કે, તેમના સંપર્કમાં આવેલા દરેક લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ. જેથી કોઇ સંકટ આવવાનું હોય તો તે પહેલા જ ટળી જાય.
બીજી વાર કરાયો ટેસ્ટ
અમિતાભને હોસ્પિટલ લઇ જવાયા બાદમાં પરિવારનો કોરોના ટેસ્ટ કરાવામાં આવ્યો હતો. પહેલી વખતમાં એશ-આરાધ્યાને કોવિડ પોઝીટીવ આવ્યો ન હતો પરંતુ બીજી વારના ટેસ્ટમાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ બંનેને ઘરમાં જ કોરંટાઇન કરવામાં આવ્યા છે. વધારે લક્ષણો જણાશે તો બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ
અમિતાભ બચ્ચનની પત્ની જયાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે, પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝીટીવ આવતા આખા ઘરને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચનના ઘરનું નામ જલસો છે.