બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને તેની 8 વર્ષની દીકરી આરાધ્યા બચ્ચન છેલ્લા થોડા દિવસથી કોરોનાનો ઇલાજ નાણાવટી હોસ્પિટલમાં કરાવી રહ્યાં હતા. તે બંનેનો રિપોર્ટ નેહેટીવ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને તેઓ તેમના ઘરે જલસામાં પહોંચી ગયા છે. ઘણા દિવસ બાદ બચ્ચન પરિવાર માટે સારા સમાચાર આવ્યા છે. હજૂ સુધી તે માહિતી સામે નથી આવી કે અમિતાભ અને અભિષેક બચ્ચન ક્યારે ડિસ્ચાર્જ થશે પરંતુ તેમની તબિયત સુધારી પર છે તેવી જાણકારી સૂત્રો દ્વારા મળી છે.
એશ્વર્યા આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ
ફેન્સની દુઆ લાવી રંગ
અભિષેક બચ્ચને ટ્વિટ કરીને કહ્યું આભાર
અભિષેક બચ્ચને ટ્વિટર પર દરેકની દુઆ અને પ્રાર્થના માટે ધન્યવાદ કહ્યું છે. અભિષેકે ટ્વિટમાં લખ્યુ કે તમારી પ્રાર્થના માટે ધન્યવાજદ, તમારી પ્રાર્થનાઓને કારણે એશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ ઘરે પહોંચી ગયા છે. હું અને પપ્પા મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં જ રહીશું.
તમને જણાવી દઇએ કે, 17 જુલાઇના રોજ એશ્વર્યા અને આરાધ્યાને કોરોનાના લક્ષણ દેખાતા નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એશ્વર્યા અને આરાધ્યા પહેલાથી જ પોઝીટીવ હતી પરંતુ તેમને ઘરે જ કોરંટાઇન કરવામાં આવ્યા હતા પરંતુ બાદમાં લક્ષણોમાં વધારો થતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
Thank you all for your continued prayers and good wishes. Indebted forever. 🙏🏽
Aishwarya and Aaradhya have thankfully tested negative and have been discharged from the hospital. They will now be at home. My father and I remain in hospital under the care of the medical staff.
11 જુલાઇએ અમિતાભ બચ્ચને ટ્વિટર દ્વારા જાણકારી આપી હતી કે તે કોરોના પોઝીટીવ છે અને તેના થોડા જ સમય બાદ અભિષેક બચ્ચને પણ પોતાના પોઝીટીવ હોવાની જાણકારી આપી હતી. જ્યારે જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
જ્યારે એશ્વર્યા અને આરાધ્યાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી ત્યારે તે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આજે તે બંનેને રજા આપી દેવામાં આવી છે જેનાથી તેમના ફેન્સમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.