બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ગ્રે ડિવોર્સ થશે? જાણો ગ્રે ડિવોર્સનો મતલબ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ગ્રે ડિવોર્સ થશે? જાણો ગ્રે ડિવોર્સનો મતલબ

Last Updated: 05:31 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય આ દિવસોમાં સમાચારમાં છે. બંને વચ્ચેના નવા અણબનાવને સતત નવી ચર્ચા મળી રહી છે. તાજેતરમાં જ્યારે ઐશ્વર્યા રાય અને આરાધ્યા અનંત અંબાણીના લગ્નમાં અલગ-અલગ પહોંચ્યા હતા અને બચ્ચન પરિવારના બાકીના સભ્યો અલગ-અલગ પહોંચ્યા હતા, ત્યારે બંને પરિવારો વચ્ચે અણબનાવના સમાચારોએ જોર પકડ્યું છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ગ્રે-ડિવોર્સ લઇ શકે છે. ચાલો જાણીએ આ વાતો કેટલી સાચી છે અને ગ્રે-ડિવોર્સ શું છે? (PHOTO: instagram)

1/5

photoStories-logo

1. અભિષેક-ઐશ્વર્યાના છૂટાછેડાની ચર્ચા

છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. એક પછી એક એવી વાતો આવી રહી છે, જેના કારણે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેમની વચ્ચે બધુ બરાબર નથી. થોડા સમય પહેલા અભિષેક બચ્ચને છૂટાછેડાની પોસ્ટને લાઈક કરી હતી, જેના કારણે પણ આ મામલો વધ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દર્દ છલકાયું

અભિષેક અને અશ્વર્યા રાય વચ્ચે અણબનાવ હોવાનું કહેવાય છે. તાજેતરમાં અભિષેકએ લાઇક કર્યુ તે ચિત્ર ગ્રે છૂટાછેડા સાથે સંબંધિત હતું, જેમાં તૂટેલા હૃદયનો ફોટો બનાવવામાં આવ્યો હતો. ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, 'છૂટાછેડા કોઈના માટે સરળ નથી, જે હંમેશા ખુશ રહેવાનું સપનું નથી જોતો'.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ભારતમાં ગ્રે-ડિવોર્સ વધી રહ્યા છે

ગ્રે-ડિવોર્સ વિશે અભિષેકની પોસ્ટને લાઈક કર્યા પછી ગ્રે-ડિવોર્સ શું છે તેની ચર્ચા ચાલી રહી છે. જો પરિણીત યુગલો વચ્ચે મનમેળ ના રહે તો તેઓ છૂટાછેડા લઈ લે છે. ઘણી વખત લગ્ન અને સાથે રહેવાના 5-10 વર્ષ પછી પણ વાત ન બને તો લોકો છૂટાછેડા લઈ લે છે. પરંતુ આજકાલ વૃદ્ધાવસ્થામાં પણ છૂટાછેડાના કિસ્સાઓ વધી રહ્યા છે. જો કે પશ્ચિમી દેશોમાં આ ચલણ વધુ છે, પરંતુ હવે ભારતમાં પણ તે ધીમે ધીમે વધી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગ્રે-ડિવોર્સ શું છે?

ગ્રે-ડિવોર્સ એટલે એને કહેવાય છે જ્યારે લોકો લગ્નના ઘણા વર્ષો પછી એટલે કે 40-50 વર્ષ પછી છુટાછેડા લેતા હોય છે. આ યુગલો લાંબો સમય સાથે વિતાવ્યા બાદ એકબીજાથી અલગ થવાનું નક્કી કરે છે. લગ્નના આટલા વર્ષો પછી બાળકો પણ મોટા અને સમજદાર બને છે. જો કે આટલા વર્ષો સુધી સાથે રહ્યા પછી તમારા પાર્ટનરથી અલગ થવું સહેલું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સિલ્વર સ્પ્લિટર્સ

ગ્રે-ડિવોર્સને સિલ્વર સ્પ્લિટર્સ અથવા ડાયમંડ ડિવોર્સ પણ કહેવામાં આવે છે. ગ્રે છૂટાછેડા મોટાભાગે 40-50 પછી સામાન્ય હોય છે. ભારતમાં ભલે આ નવું હોય પરંતુ પશ્ચિમી દેશોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aishwarya Rai Abhishek Bachchan Grey Divorce Aishwarya Rai Bachchan

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ