લિંગ રૂપમાં ભગવાન ભોલેનાથની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. સુષ્ટિના આંરભમાં ભગવાન શિવે લિંગ રૂપમાં જ પ્રકટ થઇને પોતાની વિસ્તારનું જ્ઞાન ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને કરાવ્યુ હતુ.
અહીંયા અમે તમને ભારતના એક એવા શિવલિંગ વિશે જણાવવા જઇ રહ્યા છે, જેના માટે દાવો કરવામાં આવ્યુ છે કે તે એશિયાનુ સૌથી મોટું શિવલિંગ છે. આ શિવલિંગની સ્થાપના દ્વાપર યુગ એટલે મહાભારત કાળમાં સ્વંય ભીમે કરી હતી.
અહીંયા સ્થાપિત છે શિવલિંગ:
એશિયાના સૌથી મોટું શિવલિંગ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના ખરગૂપુર ગામમાં સ્થાપિત છે. આ મંદિરનું નામ પૃથ્વીનાથ છે. કહેવાય છે કે, એક દિવસ ક્ષેત્રીય નિવાસી પૃથ્વીનાથ પોતાનું મકાન બનાવવા માટે ખોદકામ કરી રહ્યો હતો, તે જ રાતે સપનામાં તેણે ખબર પડી કે આ સ્થાન પર અને નીચા સાત ખંડોમાં શિવલિંગ છે. પૃથ્વીનાથને એક ખંડ સુધી શિવલિંગ શોધવાનો નિર્દેશ કરવામાં આવ્યો. જેના પછી આગામી દિવસે જ પૃથ્વીનાથને એક ખંડ ખોદકામ કર્યા પછી શિવલિંગની પ્રાપ્તિ થઇ. આ પછી શિવલિંગની પૂજા-અર્ચના થવા લાગી. આગળ ચાલીને આ મંદિર પૃથ્વીનાથના નામ પર જ પૃથ્વીનાથ મંદિરના નામથી પ્રસિદ્ઘ થયુ.
અજ્ઞાતવાસમાં ભીમે કરી હતી સ્થાપના:
લોકવાયકા છે કે મહાભારત કાળમાં દ્વાપર યુગમાં ભીમે અજ્ઞાતવાસ દરમિયાન આ શિવલિંગની સ્થાપના કરી હતી. કહેવાય છે કે ભીમ જ્યારે પોતાના ભાઈઓ સાથે અજ્ઞાતવાસ કાપી રહ્યો હતો ત્યારે બકાસુર દાનવે આતંક મચાવ્યો હતો. લોકો ડરી રહ્યા હતા. ભયભીત હતા.ભીમે તમામી રક્ષા કરવા માટે તેની હત્યા કરી. કેમકે દાનવ બ્રાહ્મણ કુળનો હતો, જેના કારણે ભીમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યુ. આ દોષથી મુક્ત થવા માટે ભીમે શિવલિંગની સ્થાપના કરી. જોકે ઘણા વર્ષો પછી ધીમે-ધીમે જમીનમાં સમાઇ ગયુ પરંતુ મુગલકાળમાં એક સેનાપતિએ શિવલિંગનું જીણોદ્ઘાર કરીને તેની પૂજા-અર્ચના કરી.
દૂર દૂરથી આવે છે શ્રદ્ધાળુઓ:
પૃથ્વીનાથનો મહિમા દૂર-દૂર સુધી ફેલાયેલી છે. અહીં ભારત સિવાય નેપાળથી ભક્તો પૂજા અર્ચના કરવા આવે છે. મંદિરમાં દરેક વર્ષે ત્રણ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. શિવરાત્રિ અને શ્રાવણમાં અહી અદ્ભુત નજારો જોવા મળે છે. ભક્તોની ભીડ જમા થાય છે. માન્યતા છે કે ભોળાનાથ અહીં આ મંદિરમાં જે ઈચ્છાઓ લઈને આવે તે પૂર્ણ થાય છે