દુર સંચાર સર્વિસ પુરી પાડનાર કંપની એરટેલના ચેરમેન સુનિલ મિત્તલે કહ્યું કે હજું મોબાઈલ સેવાઓના દર તાર્કિક નથી. તેમણે કહ્યું કે હાલના દરો બજારમાં ટકી રહેવા માટે મુશ્કેલ છે. અંતઃ દરોમાં વધારો જરુરી છે. તેમણે કહ્યું કે આ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા બજારની સ્થિતિને જોવામાં આવશે. આ વાત મિત્તલે એક ઈન્ટરવ્યૂહમાં કરી હતી. નેક્સ જનરેશન 5 જીનેટવર્કમાં ચીનની દુરસંચાર ઉપકરણ નિર્માતાઓની ભાગીદારી મંજૂરી મળશે કે નહીં એમ પુછવા પર તેમણે કહ્યું કે મોટો સવાલ દેશના નિર્ણયનો છે. દેશ જે નિર્ણય લે છે તે બધા સ્વીકારશે.
Vodafone Idea એ પણ અણસાર આપ્યા છે
મિત્તલે કહ્યું કે હાલના દર ટકાઉ નથી
ઉદ્યોગ જગતે એક સમય પર દરો વધારવા જરુરી હોય છે
તેમણે કહ્યું કે જ્યાં સુધી દુરસંચાર સેવાઓના દરોના સવાલમાં એરટેલે આ અંગે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. એરટેલ મજબૂતીથી માને છે કે દરોમાં વૃદ્ધિ થવી જોઈએ. મિત્તલે કહ્યું કે હાલના દર ટકાઉ નથી, પરંતુ એરટેલ બજારના અથવા નિયામકોના પગલા ભરતા પહેલા પોતાનાથી કોઈ પગલા ન ભરી શકે. ઉદ્યોગ જગતે એક સમય પર દરો વધારવા જરુરી હોય છે. આમ કરતા સમયે બજારની પરિસ્થિતઓને જોવી પડે.’
ઉલ્લેખનીય છે કે મિત્તલે આ વર્ષે ઓગસ્તમાં આ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે 160 રુપિયામાં એક મહિના માટે 16 જીબી ડેટા આપવા ત્રાસદી છે. કંપનીનું કહેવું છે કે ટકાઉ વ્યવસાય માટે પ્રતિ ગ્રાહક ઔસત રાજસ્વને પહેલા 200 રુપિયા ધીરે ધીરે વધારીને 300 રુપિયા સુધી પહોંચાડવા જોઈએ. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતી એરટેલના પ્રતિ ગ્રાહક ઔસત રાજસ્વને પહેલા 200 રુપિયા અને ધીરે ધીરે વધારીને 300 રુપિયા સુધી પહોંચાડવો જોઈએ. સપ્ટેમ્બર ક્વાર્ટમાં એરટેલના પ્રતિ ગ્રાહક ઔસત રાજસ્વ (એઆરપીયૂ) 162રુપિયા રહ્યો હતો. આ રાજસ્વ આ પહેલા જૂન 2020 ક્વાર્ટરમાં 128 રુપિયા અને જૂન 2019માં 157 રુપિયા હતો.
Vodafone Idea એ પણ અણસાર આપ્યા છે
આ પહેલા Vodafone Ideaના મેનેજિંગ ડાયરેક્ટર રવિન્દર ટક્કરે કહ્યું કે ટેરિફના અત્યારે જે ભાવ છે તે ટકવાના નથી વધારે ભાવ વધશે. સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે તેમના બાકીના કોમ્પિટીટર્સ પોતાના ટેરિફના ભાવ વધારશે. રવિન્દર ટક્કરે બીજા ક્વાર્ટરના પરિણામ બાદ જ એમ કહી દીધું હતું કે ડેટા માટે ફ્લોર પ્રાઈસના નિર્ણયની રાહ ન જોઈ શકાય અને ટેરિફના ભાવ વધારવા પડશે.