ટેલિકોમ કંપની એરટેલના ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. કંપનીએ તેનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન બંધ કરી દીધો.
એરટેલના ગ્રાહકો માટે કામના સમાચાર
કંપનીએ તેનો સૌથી સસ્તો પ્લાન બંધ કર્યો
હવે ગ્રાહકોએ રિચાર્જ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
એરટેલે તેના 49 રૂપિયાના પ્રીપેડ પ્લાનને દેશમાં કેટલીક જગ્યાએ બંધ કરી દીધો છે. ભારતી એરટેલે ઓફિશિયલી ઘોષણા કરી છે કે, 29 જુલાઈ 2021થી યુઝર્સ માટે 49 રૂપિયાનો પ્લાન બંધ થઈ જશે. હવે આ પ્લાન બંધ થતા ગ્રાહકોએ ઓછાંમાં ઓછું 79 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે.
79 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં ઓછી કિંમતમાં ટોકટાઈમની સાથે મોબાઈલ ડેટા પણ મળે છે. 79 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 64 રૂપિયા ટોકટાઈમ મળે છે. સાથે જ તેમાં 200 એમબી ડેટા પણ આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન ગ્રાહકોને ડબલ ડેટાની સાથે ચાર ગણું વધુ આઉટગોઈંગ મિનિટ પણ ઓફર કરે છે. આ પ્લાનમાં 29 જુલાઈ 2021થી ફેરફાર થશે.
ભારતી એરટેલનો સૌથી સસ્તો પ્લાન 49 રૂપિયાનો હતો
ભારતી એરટેલની નવા સૌથી સસ્તા પ્લાનની કિંમત હવે 49 રૂપિયાને બદલે 79 રૂપિયા છે. 79 રૂપિયાનો પ્લાન 49 રૂપિયાની તુલનામાં 30 રૂપિયા મોંધો છે. જોકે, યુઝર્સને આ પ્લાનમાં બે ગણો વધુ ડેટા અને ચાર ગણી વધુ આઉટગોઈંગ મિનિટ્સ મળે છે. 79 રૂપિયામાં યુઝર્સને કોલિંગ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ આપવો પડશે.
જે યુઝર્સને 49 રૂપિયાનો પ્લાન પસંદ હતો, તેમને હવે 79 રૂપિયામાં રિચાર્જ કરાવવું પડશે. આનાથી ભારતી એરટેલને તેના ARPUમાં નજીવી સુધાર કરવામાં મદદ મળશે કારણ કે બંને પ્લાન વચ્ચે બહુ મોટો અંતર નથી. ઘણાં યુઝર્સ પહેલાંથી 79 રૂપિયામાં રિચાર્જ કરાવી રહ્યાં છે કારણ કે તેમના ક્ષેત્રમાં 49 રૂપિયાનું રિચાર્જ ઉપલબ્ધ નથી. એરટેલે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે, તે પોતાના પોર્ટફોલિયોમાં બહુ ઓછાં ARPU ગ્રાહક નથી ઈચ્છતી. ટેલ્કોનું લક્ષ્ય 200 રૂપિયાના ARPU સુધી પહોંચવાનું છે.