જિયોની શરૂઆત પછીથી ભારતીય ટેલીકોમ બજારમાં પ્રતિસ્પર્ધાનો એક નવો જ દોર શરૂ થયો છે. તમામ મોટી ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અનેક ઓફર્સો નિકાળતી રહે છે. એવામાં એરટેલે પોતાનાં ગ્રાહકોને માટે એક નવી જ કેશબેક ઓફર રજૂ કરી છે. આ કેશબેક ઓફર કંપનીએ પોતાનાં તે ગ્રાહકો માટે આ કેશબેક ઓફર નિકાળી છે કે જે 399 રૂપિયાનાં રિચાર્જ પ્લાન કરાવશે.
આ ઓફર અંતર્ગત જો ગ્રાહક 399 રૂપિયાનું રિચાર્જ કરાવશે તો તેઓને 400 રૂપિયાનું કેશબેક મળશે. એટલે કે આ ઓફર અંતર્ગત રિચાર્જ કરાવનાર ગ્રાહકોને 100 ટકા કેશબેક મળશે. જો કે આમાં કંઇક શરતો પણ શામેલ છે.
કંપની દ્વારા આપવામાં આવી રહેલ કુલ 400 રૂપિયાનું કેશબેક ગ્રાહકોને 50 રૂપિયાનાં વાઉચર્સનાં રૂપમાં મળશે. આ વાઉચર્સનો ઉપયોગ ગ્રાહકો ભવિષ્યમાં કરવામાં આવતા રિચાર્જ દરમ્યાન કરી શકશે. બસ શરત એ રહેશે કે આગામી 399નાં રિચાર્જ પર માત્ર એક વાઉચરનો જ ઉપયોગ કરવામાં આવશે.
એટલે કે જો આગામી વખતે જો 399 રૂપિયાવાળા પ્લાન સાથે જો રિચાર્જ કરાવશો તો તેઓને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે રિચાર્જની કિંમત ઘટીને 349 રૂપિયા થઇ જશે. આ કેશબેક ઓફર અંતર્ગત ગ્રાહકોને 50 રૂપિયાનાં 8 વાઉચર્સ મળશે.
આ પ્રકારે ભવિષ્યમાં કરવામાં આવતા 8 નવા રિચાર્જ પર ગ્રાહકોને કુલ 400 રૂપિયાનાં ડિસ્કાઉન્ટનો ફાયદો મળશે. પરંતુ ધ્યાનમાં રહે કે આ ઓફર માત્ર 399 રૂપિયાનાં રિચાર્જ પર જ લાગુ થશે. એરટેલ ગ્રાહકોને માટે આ પ્લાન 31 માર્ચ 2020 સુધી લાગુ થશે.