ભારતીય એરટેલે મોબાઈલ પ્લાન વધારવાનો નિર્ણય કર્યો છે.કંપનીએ 28 દિવસમાં 99 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન 57 ટકા મોંઘો કરી દીધો છે.
એરટેલે મોબાઈલ પ્લાન કર્યો મોંઘો
હાલમાં કંપનીએ આ પ્લાન હરિયાણા અને ઓડિશામાં રજૂ કર્યો
99 રૂપિયાનો 28 દિવસનો રિચાર્જ પ્લાન 57 ટકા મોંઘો
ભારતીય એરટેલે મોબાઈલ પ્લાન વધારવાનો નિર્ણય કર્યો છે. ભારતીય એરટેલે મોબાઈલ ટેરિફ વધારવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ 99 રૂપિયાનો 28 દિવસનો રિચાર્જ પ્લાન 57 ટકા મોંઘો કર્યો છે. હવે 28 દિવસના ટેરિફ પ્લાન માટે 99 રૂપિયા ચૂકવવા પડશે. હાલમાં કંપનીએ આ રિચાર્જ પ્લાન હરિયાણા અને ઓડિશામાં રજૂ કર્યો છે અને એવું માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં તેને આખા દેશમાં રોલ આઉટ કરવામાં આવી શકે છે.
એરટેલે 28 દિવસની વેલિડિટી સાથે રૂ. 99 નો મિનિમમ રિચાર્જ પ્લાન બંધ કરી દીધો છે. આ પ્લાન હેઠળ ગ્રાહક પાસેથી 200 મેગાબાઈટ ડેટાની સાથે 2.5 પૈસા પ્રતિ સેકન્ડના દરે કોલ રેટ લેવામાં આવી રહ્યો હતો. હવે એરટેલ આ પ્લાનને 155 રૂપિયામાં અમર્યાદિત કૉલિંગ અને 1 GB ડેટા સાથે 300 SMS આપી રહી છે. આ પ્લાન ફક્ત 2G ગ્રાહકોને જ ઓફર કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કંપની 155 રૂપિયાથી નીચેના તમામ પ્લાન બંધ કરી શકે છે. SMS સુવિધા મેળવવા માટે ગ્રાહકોએ હવે 155 રૂપિયાનો પ્લાન લેવો પડશે.
ICICI સિક્યોરીટીઝે તેની બ્રોકરેજ નોટમાં જણાવ્યું છે કે ભારતીય એરટેલે હરિયાણા અને ઓડિશા સર્કલમાં માર્કેટ ટેસ્ટિંગ ટેરિફ પ્લાન લોન્ય કર્યો છે. બ્રોકરેજ રિપોર્ટ અનુસાર કંપની લોકોનો રિસ્પોન્સ જોવા માંગે છે. આ ટેરિફ વધારાની 4G ગ્રાહકો પર કોઈ અસર નહિ થાય. આ પગેલા પણ ભારતી એરટેલે 2021 માં પસંદગીના સર્કલમાં ન્યૂનતમ રિચાર્જ પ્લાન 79 રૂપિયાથી વધારીને 99 રૂપિયા કરીને પહેલું પગલું ભર્યું હતું.
ભારતી એરટેલના આ પગલા બાદ માનવામાં આવી રહ્યું છે કે અન્ય ટેલિકોમ કંપનીઓ પણ આવો નિર્ણય લઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીએ વર્તમાન વાતાવરણ વચ્ચે પહેલા ટેરિફ વધારવાનો નિર્ણય કર્યો છે. અન્ય લોકો આ અંગે કેવી પ્રતિક્રિયા આપે છે તેની કંપની રાહ જોશે. જો તેને સમર્થન નહીં મળે તો જૂની ટેરિફ યોજના પુનઃસ્થાપિત કરવી પડી શકે છે.