કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. એવામાં મોબાઈલ રિચાર્જની દુકાનો પણ બંધ છે. જેથી ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે ગ્રાહકોને મુશ્કેલી ન થાય તે માટે એરટેલ ગ્રાહકો માટે નવી સુવિધા લઈને આવ્યું છે.
એરટેલના ગ્રાહકો માટે રાહતના સમાચાર
રિચાર્જ કરાવવા માટે ગ્રાહકોને મળશે આ સુવિધા
પ્રીપેડ પ્લાનના ગ્રાહકોને પણ આપી વધુ વેલિડિટી
ભારતીય એરટેલે પ્રીપેડ ગ્રાહકો માટે રિચાર્જ કરવાના ત્રણ ઓપ્શન આપ્યા છે. જેમાં એટીએમ, ગ્રોસરી શોપ અને મેડિકલ સ્ટોર સામેલ છે. એરટેલના સીઈઓ ગોપાલ વિત્તલે કહ્યું-14 એપ્રિલ સુધી લોકડાઉનને કારણે તમામ રિટેલ સ્ટોર્સ બંધ છે. જેથી કોઈ મુશ્કેલી વિના કનેક્ટિવિટીનો ઉપયોગ કરી શકાય તે માટે અમે એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંક સાથે પણ પાર્ટનરશિપ કરી છે.
એટલે કે ગ્રાહકો આ બે બેંકના એટીએમથી તેમનો એરટેલ નંબર રિચાર્જ કરી શકે છે. આ સિવાય બિગ બજાર ગ્રોસરી સ્ટોર્સ અને અપોલો ફાર્મસથી પણ એરટેલના કસ્ટમર રિચાર્સ કરી શકે છે.
એરટેલે વધારી પ્લાનની વેલિડિટી
આ પહેલાં લોકડાઉનમાં કંપનીઓ તેના કરોડો ગ્રાહકોને રાહતના સમાચાર આપ્યા છે. કંપનીએ લોકડાઉનને ધ્યાનમાં રાખી પ્રીપેડ ગ્રાહકોના પ્લાનની વેલિડિટી વધારી દીધી છે. કંપનીએ કહ્યું કે, તે તેના 8 કરોડ પ્રીપેડ પ્લાનના ગ્રાહકોની વેલિડિટી 17 એપ્રિલ સુધી વધારી દીધી છે અને સાથે જ ગ્રાહકોને 10 રૂપિયાનું ટોકટાઈમ પણ આપશે. ગ્રાહકો આ સંકટ સમયમાં પોતાના પરિવાર સાથે જોડાયેલા રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.