ટેલીકોમ સેક્ટરમાં Reliance Jio આવ્યા બાદથી ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા છે. આ ફેરફારના કારણે દેશભરના યૂઝર્સને મફત રોમિંગ ઇનકમિંગ અને અનલિમિટેડ વોયસ કોલિંગની સુવિધા મળી છે. પરંતુ એના કારણે ઘણી કંપનીઓના ARPU પર ખરાબ અસપ જોવા મળી છે. એને નિપટવા માટે Idea Vodafone અને Airtel જેવી કંપનીઓ એક હલ નિકાળ્યો છે જે હેઠળ મફતમાં આપવામાં આવી રહેલી ઇનકમિંગ સર્વિસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે આજકાલ મોટાભાગે સ્માર્ટફોન્સ ડુઅલ સિમની સાથે આવે છે જેના કારણે યૂઝર્સ બે સિમનો ઉપયોગ કરે છે. એવામાં યૂઝર્સ બંનેમાંછી એખ સિમને માત્ર ઇનકમિંગ કોલ્સ માટે ઉપયોગ કરે છે અને એનાથી છ મહિનામાં આશરે 10 રૂપિયાનો ARPU જનરેટ થાય છે. એનાથી બચવા માટે હવે કંપનીઓએ મિનિમમ રિચાર્જ પ્લાન લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે.
કંપનીઓએ આ રિચાર્જ પ્લાનની કિંમત 35 રૂપિયાથી શરૂ થાય છે. એની મર્યાદા 28 દિવસોની છે અને આશરે 26 રૂપિયાનો ટોકટાઇમ મળે છે. ત્યારબાદ 65 રૂપિયાના પ્લાનમાં 55 રૂપિયાનો ટોકટાઇમ અને 1 પૈસા પ્રતિ સેકન્ડના દરથી આઉટગોઇંગ કોલ મળે છે. આ ઉપરાંત 200 એમબી ડેટાનો લાભ પણ ઊઠાવી શકાય છે. સૌથી મોંઘો અને છેલ્લા પ્લાનની કિંમત 95 રૂપિયા છે. જેમાં યૂઝર્સને કુલ 95 રૂપિયાનો ટોકટાઇમ મળશે. આ ઉપરાંત 500એમબી ડેટા અને 30 પૈસા પ્રતિમિનીટના દરથી આઉટગોઇંગ કોલ મળે છે. આ બંને પ્લાનની મર્યાદા 28 દિવસની છે.
જાણવા મળ્યું છે કે Airtel અને Vodafone Idea પોતાના પ્રીપેડ યૂઝર્સને છેલ્લા કેટલાક દિવસોથી એક મેસેજ મોકલી રહ્યા છે. કંપનીઓ તરફથી મોકલવામાં આવતા મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે ઇનકમિંગ સર્વિસને ચાલૂ રાખવા માટે એમને ન્યૂનતમ માસિક રિચાર્જ કરાવવું પડશે. ત્યારબાદ કેટાલક યૂઝર્સે એની ફરિયાદ કરતા કહ્યું કે એમના અકાઉન્ટમાં પૂરતી રકમ હોવા છતા પણ એમને મેસેજ મળી રહ્યો છે. આ મામલે TRAI એ એ કંપનીઓને પત્ર મોકલ્યો છે અને એમની પાસેથી જવાબ માંગ્યો છે.