કોંગ્રેસના દાવાઓની પોલ ખુલી પડી છે. સેનાના નોર્ધન કમાન્ડ ચીફ રણબીરસિંઘે આ મામેલ નિવેદન આપતા ક્હ્યું કે, પહેલી એરસ્ટ્રાઈક 2016માં થઈ હતી. કોંગ્રેસે કહ્યું હતું કે પહેલા પણ એરસ્ટ્રાઈક થઈ ચૂકી છે.
લેફ્ટનન્ટ જનરલ રણબીરસિંઘે પણ કોંગ્રેસની પોલ ખોલી છે. બાલાકોટ એરસ્ટ્રાઈક અંગે વાત કરતા કહ્યું કે, બાલાકોટ એરસ્ટ્રાઈક વાયુસેનાની મોટી સિદ્ધી છે. દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો છે.
કમાન્ડ ચીફ રણબીર,સિંઘે કહ્યું કે, "ડીજીએમઓએ આરટીઆઇના એક જવાબમાં કહ્યું હતું કે પહેલી સર્જિકલ સ્ટ્રાઇક 2016માં થઇ હતી. રાજનીતિક દળ જે કહે છે, હું તેમના પર નથી જવા માંગતો. સરકાર દ્વારા એમને જવાબ આપી દેવામાં આવશે. જે મેં કહ્યું તે તથ્ય છે. ''
GOC Northern Command: Airstrikes by IAF on Balakot terrorist infrastructure was a major achievement, wherein our aircraft went deep into enemy territory & struck terror launchpads. Pakistanis carried out air operations the following day, however they were given a befitting reply. pic.twitter.com/QyDTa6Ms04
આપને જણાવીએ કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં કેન્દ્રીય રિજર્વ પોલીસ દળ (CRPF) પર આત્મઘાતી હુમલો થયો હતો. જેની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે લીધી હતી. જે બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશના ઠેકાણા પર હવાઇ હુમલો કર્યો હતો.