અમદાવાદથી મુંબઈ વચ્ચે 508 કિલોમીટરના રૂટ પર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. તોફાની પવન તેમજ ભારે વરસાદ ઉપરાંત ઉનાળામાં ઘણી વાર તાપમાન વધી જતું હોય છે. આવી પરિસ્થિતિમાં બુલેટ ટ્રેનની સુરક્ષા માટે રેલવે દ્વારા વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. 30 કિમીથી વધુ ઝડપે પવન ફૂંકાશે તો બુલેટ ટ્રેન આપોઆપ ઊભી રહેશે.
ટ્રેક ટેમ્પરેચર સેન્સર લગાવાશે
સેન્સરથી ટ્રેનની સ્પીડ નક્કી થશે
ઠંડી ગરમીનું રખાશે ધ્યાન
જેમાં બુલેટ ટ્રેનના ટ્રેક પર ખાસ સેન્સર લગાવવામાં આવશે. જેનાથી ટ્રેકનું ટેમ્પરેચર માપવામાં આવશે અને નિર્ધારિત માપદંડથી વધુ તાપમાન કે તોફાની પવન હશે તો ટ્રેન જાતે જ રોકાઈ જશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનના રૂટ પર હવાની સ્પીડ અને દિશા માપવા માટે એનેમોમીટર લગાવવામાં આવશે.
હવાની સ્પીડને આધારે નક્કી થશે ટ્રેનની સ્પીડ
જેમાં સાબરમતી,મહી,નર્મદા તાપી સહિતની નદીઓનો સમાવેશ કરાશે જ્યારે હવાની સ્પીડ દર કલાકે 30 કિલોમીટરથી વધુ થશે ત્યારે સાબરમતી ડેપોમાં લગાવેલા ઓપરેશન કંટ્રોલ સિસ્ટમમાં સેફ્ટી એલાર્મ વાગશે. જેના પગલે કંટ્રોલ રૂમ દ્વારા ટ્રેન ઊભી રાખી દેવામાં આવશે. એ જ રીતે હવાની સ્પીડ 20 કિલોમીટરથી વધુ હશે તો તેની ટ્રેનની ઝડપ અડધી કરાશે.
ટ્રેક ટેમ્પરેચર સેન્સર લગાવાશે
ઉનાળા દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગરમી વધી જાય છે. આ સ્થિતિમાં ટ્રેક પર મહત્તમ 320 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડશે ત્યારે ટ્રેકનું તાપમાન વધીને 50થી 65 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં ટ્રેકના તાપમાન પર નજર રાખવા દર 100 કિલોમીટરના અંતરે ટ્રેક ટેમ્પરેચર સેન્સર લગાવાશે. ટેમ્પરેચર ૬૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તો ટ્રેન અને પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ટ્રેન ઊભી રાખી દેવાશે.