સરકારી માલિકીની સંપત્તિના વેચાણ દ્વારા 81 બિલિયન એકત્ર કરવાની યોજના
રસ્તાઓ, રેલવેની સંપત્તિઓ, એરપોર્ટ વેચાશે
પાવર ટ્રાન્સમિશન લાઈન તથા ગેસ પાઈપલાઈન પણ ખાનગી હાથોમાં સોંપાશે
સૂત્રોના જણાવ્યાનુસાર બજેટ ખાધ પૂરવા તથા સરકારી ખજાનો ભરવા માટે સરકારે આ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
કેન્દ્ર સરકારે દેશની તમામ મહત્વની સરકારી સંપત્તિઓ વેચવાનો પ્લાન ઘડ્યો છે. જે અનુસાર આગામી ચાર વર્ષમાં રસ્તાઓ, રેલવેની સંપત્તિઓ, એરપોર્ટ, પાવર ટ્રાન્સમિશન લાઈન તથા ગેસ પાઈપલાઈનનું વેચાણ કરી નાખવામાં આવશે અને આ રીતે 6 ટ્રિલિયન અંદાજે (81 બિલિયન ડોલર)ની રકમ ભેગી કરવાનો સરકારનો હેતુ છે.
માર્ચ 2022 સુધીમાં 75 ટ્રિલિયન એકત્ર કરવાની કેન્દ્રની યોજના
આયોજિત વેચાણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્યૂહાત્મક વિનિમય નીતિ સાથે સુસંગત છે, જે અંતર્ગત માર્ચ 2022 સુધીમાં વર્ષમાં આવા વેચાણમાંથી 75 ટ્રિલિયન જેટલું બજેટ એકત્ર કરવાની સરકારની યોજના છે.
ઓછી વપરાયેલી સંપત્તિનું વિનિવેશ કરાશે-નાણામંત્રી સીતારામણ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન (NMP) યોજનાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે, તેમણે જણાવ્યું હતું કે, માત્ર ઓછી વપરાયેલી સંપત્તિનું વિનિવેશ કરવામાં આવશે અને માલિકી સરકારની રહેશે.
LIC સહિતની બીજી કંપનીઓનું વિનિવેશ કરાશે
જ્યારે આ વર્ષે વ્યાપક વિનિમય દરખાસ્તોમાં ભારતીય જીવન વીમા કોર્પોરેશન દ્વારા પ્રારંભિક જાહેર ઓફર તેમજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને એર ઇન્ડિયા લિમિટેડ જેવી કંપનીઓમાં હિસ્સો વેચવાનો સમાવેશ થાય છે, ત્યારે સીતારમણ સોમવારે માત્ર માળખાકીય સંપત્તિના મુદ્રીકરણ માટે યોજના જાહેર કરે તેવી અપેક્ષા છે.
રસ્તાઓના વેચાણ દ્વારા 1.6 ટ્રિલિયન અને રેલવેની સંપત્તિઓ વેચીને 1.5 ટ્રિલિયનની આવક રળવાનું સરકારનું આયોજન છે. પાવર સેક્ટરની સંપત્તિ વેચીને 1 ટ્રિલિયન, ગેસ પાઇપલાઇન ₹ 590 અબજ અને ટેલિકોમ્યુનિકેશન સંપત્તિઓના વેચાણ દ્વારા 400 બિલિયન મળી શકે છે.