અમદાવાદ એરપોર્ટ ઉપર રનવેમાં વાંદરાઓનો ત્રાસ છે અને વારંવાર વાંદરાઓને લીધે ઘણીવાર ફ્લાઈટ ડીલે થઈ જાય તેવી પણ સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે અમદાવાદ એરપોર્ટ દ્વારા વાંદરાને ભગાડવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે.
કોઈ માણસ રીંછનો ડ્રેસ પહેરી ભગાડે છે વાનર
હરિયાળીને લીધે આસપાસ રહે છે વાનર
પ્રવાસીઓને રંજાડે છે વાંદરા
એરપોર્ટ ઉપર વાંદરાઓના એટેકને લીધે ઘણીવાર મુસાફરો વિચલીત થઈ જાય છે. જ્યારે ઘણીવાર તે રનવે માટ પણ ઘુસી આવે છે ત્યારે હવે એરપોર્ઠ ઓથોરિટીએ વાંજરા ભગાડવા માટે રીંછનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે.
કોઈ માણસ રીંછનો ડ્રેસ પહેરી ભગાડે છે વાનર
એરપોર્ટએ વાંદરાઓ હુમલાથી પ્રવાસીની સલામતી સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ ઓથોરિટીએ રન વે પર રીંછ મેદાનમાં ઉતાર્યું છે. આ સાચો રીંછ નથી પરંતુ વાંદરાઓને ભગાડવા માટે રીંછ ડ્રેસમાં એક માણસને ગોઠવવામાં આવ્યો છે
હરિયાળીને લીધે આસપાસ રહે છે વાનર
અમદાવાદ એરપોર્ટ આસપાસ વૃક્ષોને લીધે વાંદરાઓનો વસવાટ છે ત્યારે તે ઘણીવાર રન વે સુધી પહોંચી જાય છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાત-ભાતના ઉપાયો કરવા છતાં વાનરના ત્રાસમાંથી છુટકારો નહોતો મળતો એટલે તેમણે એક માણસને જ રીંછ બનાવી વાંદરા ભગાડવાનું કામ સોંપી દીધુ.
25 લોકોને મળી નોકરી
ફ્લાઇટને ઉડવામાં મુશ્કેલી સાબિત થતા વાંદરાઓના કારણે 25 લોકોને તેના ભગાડવા માટે રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદએરપોર્ટ ઓથોરિટીએ 25 લોકોના સ્ટાફના કર્મચારીઓને પ્રાણીઓને ભગાડવાનું કામ સોંપાયું છે. એરપોર્ટ પર પક્ષીઓ, ભેંસો અને કૂતરાઓ જેવા પ્રાણીઓ રનવે પર આવી જતા હોય છે. વાંદરાઓ રન-વે પર આવી જતા ઘણી વખત એવું બન્યું છે કે ફ્લાઇટને ટેકઓફ માટે ખાસી રાહ જોવી પડી હતી. જેને લઇને કોઇ દુર્ઘટના ના સર્જાય તે માટે આ નિર્ણય લેવાયો છે.