રીડેવલપ થયેલાં રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓ માટે હવે રેલવે એરપોર્ટની જેમ ચાર્જ વસૂલ કરશે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. તમને જણવી દઈએ કે, હવાઈ યાત્રામાં યુઝર ડેવલપમેન્ટ ફીસ (UDF)નો ભાગ હોય છે. જે હવાઈ યાત્રી ચૂકવે છે. યૂડીએફ ઘણાં એરપોર્ટ પર વસૂલવામાં આવે છે અને તેના દર અલગ-અલગ હોય છે. રેલવે બોર્ડના અધ્યક્ષે જણાવ્યું કે, નવા વિકસિત રેલવે સ્ટેશનો પર જે ચાર્જ લેવામાં આવશે એ ત્યાં આવનારા યાત્રીઓની સંખ્યાના આધાર પર અલગ-અલગ હશે.
રેલવે યાત્રીઓ માટે માઠા સમાચાર
હવે સ્ટેશન પર ચૂકવવો પડશે ચાર્જ
સરકાર લાવી રહી છે આ નવી યોજના
આ સ્ટેશનોનું થશે રિડેવલપમેન્ટ
રેલવે બોર્ડ અધ્યક્ષે જણાવ્યું કે, મંત્રાલય ટૂંક સમયમાં આ ચાર્જ સંબંધિત સૂચનાની જાહેરાત કરશે. તેમણે જણાવ્યું કે, 1296 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી અમૃતસર, નાગપુર, ગ્વાલિયર અને સાબરમતી રેલવે સ્ટેશનોનું રિડેવલપમેન્ટ કરવા માટે રેલવેએ પ્રસ્તાવ આપ્યો છે.
UDF ચાર્જ બહુ ઓછો હશે
ઉલ્લેખનીય છે કે, સરકારે ભારતીય રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (IRSDC) દ્વારા
2020-21માં સમગ્ર દેશમાં 50 સ્ટેશનોનું રિડેવલપમેન્ટ માટે ટેન્ડર બહાર પાડવાની યોજના બનાવી છે અને તેના પર 50000 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ છે. યુઝર ડેવલપમેન્ટ ફીસ એરપોર્ટ ઓપરેટર્સ તરફથી લેવામાં આવતા ચાર્જના અનુરૂપ જ હશે. આનાથી સ્ટેશનોના વિકાસ માટે રમકની વ્યવસ્થા થશે. આ ચાર્જ સામાન્ય હશે.
ભાડામાં થશે વધારો
રેલવે સ્ટેશન પર આ સુવિધાઓ શરૂ કરવાને કારણે અને રિડેવલમમેન્ટને કારણે ભાડામાં થોડો વધારો થઈ શકે છે પરંતુ તેનાથી યાત્રીઓને વિશ્વ સ્તરીય સુવિધાઓ મળશે.
400 રેલ્વે સ્ટેશનોનું રિડેવલપમેન્ટ કરવાની યોજના
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે પહેલાં કાર્યકાળમાં 400 રેલવે સ્ટેશનોના રિડેવલપમેન્ટની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સ્ટેશનોના વિકાસ પર ખર્ચ થનાર પૈસા સ્ટેશનની આસપાસની જમીન વિકસિત કરી એકત્રિત કરવામાં આવશે. સાથે જ સરકારના થિંક ટેંક નીતિ આયોગે ઓક્ટોબરમાં સ્ટેશન રિડેવલપમેન્ટ યોજનામાં મોડું થતા રેલવે મંત્રાલય પર રોષ વ્યક્ત કર્યો હતો. આયોગે 50 સ્ટેશનોને પ્રાથમિકતાના આધારે રિડેવલપમેન્ટ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી.