રાજકોટ એરપોર્ટ શરૂ કરી દેવાયું, ઈન્ડિંગોની મુંબઈ-રાજકોટ ફલાઈટનું આગમન થતા વોટર કેનનથી રન વે પર તેનું સ્વાગત કરાયું
કોરોના બાદ રાજકોટ એરપોર્ટ ફરીથી કાર્યરત
સવારથી સાંજ સુધીમાં 11 જેટલી ફ્લાઈ ભરશે ઉડાન
આજથી ઈન્ડિગોની 3 અને એર ઇન્ડિયાની 1 ફ્લાઇટ શરૂ
કોરોના બાદ ફરીથી એક વખત રાજકોટ એરપોર્ટ શરૂ કરી દેવામાં આવ્યુ છે. સવારથી સાંજ સુધીમાં 11 જેટલી ફલાઈટો ઉડાન ભરશે. આજે ઈન્ડિંગોની મુંબઈ-રાજકોટ ફલાઈટનું આગમન થતા વોટર કેનનથી રન વે પર તેનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. આજથી ઈન્ડિગોની 3 અને એર ઈન્ડિયાની 1 ફલાઈટ શરૂ કરવામાં આવશે તથા મુંબઈ, દિલ્હી, હૈદરાબાદની પણ ફલાઈટો ઉડાન ભરશે. ઉલ્લેખનીય છે કે બેંગ્લોરની ફલાઈટ 20 દિવસ માટે બંધ રહેશે. એપ્રિલ માસમાં બેંગ્લોરની ફલાઈટ પુન: શરૂ કરવામાં આવશે.
રાજકોટના બસ સ્ટોપ પર કોરોનાના નિયમના ધજાગરા ઉડ્યા
રાજકોટમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ ST બસ ડેપોમાં જ નિયમોના ધજાગરા ઉડ્યા છે. રાજકોટનું તંત્ર વ્યવસ્થા ગોઠવી શક્યું નથી. રાજકોટ ST બસસ્ટેન્ડ ખાતે કોઇપણ પ્રકારની વ્યવસ્થા કરાઇ નથી. અને તહેવારોમાં રાજકોટ ST ડેપોએ લોકોની ભીડ જોવા મળી રહી છે. તો ડેપો ખાતે કોઇ પ્રકારનું સામાજિક અંતર પણ જળવાયું નહીં. સાથે જ અનેક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા છે. ST બસ ડેપો મનપા સેન્ટ્રલ ઝોનથી માત્ર 1મી દૂર છે. તો નિયમોનું પાલન કરાવતા એકપણ કર્મચારી પણ નજરે પડ્યા નહીં.
કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલો ફુલ થવાનું શરૂ થયું છે. રાજકોટની 16 ખાનગી હોસ્પિટલમાંથી 2 હોસ્પિટલ ફુલ થઇ ગઇ છે. સ્ટાર સીનર્જી અને વોકહાર્ટ હોસ્પિટલમાં બેડ ફુલ થઇ ગયા છે. સ્ટાર સીનર્જીના 40 અને વોકહાર્ટના 50 બેડની ફાળવણી થઇ છે. જેમાં 16 માંથી 14 હોસ્પિટલમાં અડધા બેડ જ ખાલી છે.