અમરનાથ યાત્રીઓ અને ટૂરિસ્ટ માટે જલ્દીથી જલ્દી કશ્મીર છોડવાની સરકારી સલાહ આવ્યા પછી શ્રીનગરથી ઉડનારી તમામ ફ્લાઇટ્સનું ભાડું વધી ગયુ છે.
શ્રીનગરથી જમ્મૂ, દિલ્હી તથા બીજા સ્થાન પર શનિવાર અને રવિવારથી તમામ ફ્લાઇટ્સની ટિકિટ બુક થઇ ચૂકી છે અને કેટલીક સીટ બાકી છે તો તે માટે યાત્રીઓએ વધારે કિંમત ચૂકવવી પડી રહી છે. રવિવારે શ્રીનગરથી દિલ્હીના રૂટથી ફ્લાઇટના શરૂઆતી ભાડું 15500 રબપિયા છે તો ડિરેક્ટ અને વન સ્ટોપ ફ્લાઇટનું ભાડું 21000 રૂપિયા સુધી પહોંચી ગયુ છે. શ્રનગરથી મુંબઇનું ભાડું મિનિમમ 16700 રૂપિયા છે. અમુક ફ્લાઇટ્સમાં તેના માટે 25000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.
Air India, Indigo અને Vistara એરલાઇન્સના કેન્શિલેશન અને રિશેડ્યૂલિંગ જમ્મૂથી ઉડાનો માટે ચાર્જ નહી લે. તો બીજી તરફ જમ્મૂ-કશ્મીરના રાજ્યપાલે કહ્યુ કે, ''ઘબરાવવાની જરૂર નથી, શાંતિ બનાવી રાખજો.''
ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) આ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ટોચના અધિકારીઓ શ્રીનગર એરપોર્ટ ઓથોરિટીના સંપર્કમાં છે. એક અધિકારીએ જણાવ્યુ કે, ''અમે એરલાઇન્સ અને શ્રીનગર એરપોર્ટ ઓથોરિટી સાથે વાત કરી છે. વધારાની ફ્લાઇટ્સની જરૂર હશે તો એરલાઇન્સ તેના માટે તૈયાર છે. ભાડામાં વધારાની વાત છે. તો શનિવાર-રવિવારની ટિકિટ બુક થઇ ગઇ છે અને જે સીટ બાકી છે તેનું ભાડું વધારે છે. સોમવારથી ફ્લાઇટ્સની ટિકિટમાં ઘટાડો થશે.''