હવામાં કોરોનાનો ચેપ સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનો કેન્દ્ર સરકારે સ્વીકાર કરી લીધો છે.
નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યું
હવામાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે
આ વર્ષની કોરોનાની લહેર ગયા વર્ષ જેટલી ખતરનાક નથી-ICMR
નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યું કે ગત વર્ષની કોરોનાની લહેરમાં જેટલા લોકોને ચેપ લાગ્યો તેમાં 30 વર્ષથી ઓછી વયના 31 ટકા લોકો હતા. આ વખતની લહેરમાં આ ટકાવારી 32 છે. 30 થી 45 વર્ષની વય વચ્ચેની ટકાવારી 21 છે. ગત વર્ષે પણ સંક્રમિતોમાં તેની સંખ્યા ઘણી ઓછી હતી. તેથી સ્પસ્ટ છે કે યુવાનોમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
We have had tremendous amount of laxity, COVID19 inappropriate behaviour and various unidentified mutation, of them some are of concern —UK, Brazilian and South African variants, which have been demonstrated to have higher transmissibility: ICMR DG Dr. Balram Bhargava pic.twitter.com/TVk2OxJzxH
ICMR ના ડીજી બલરામ ભાગર્વે જણાવ્યું કે ગત વર્ષની લહેર જેટલી ખતરનાક હતી, તેના મુકાબલે આ વર્ષની કોરોનાની લહેર ઘણી ઓછી ખતરનાક છે. તેમણે કહ્યું કે બીજી લહેરમાં મૃત્યુદર ઘણો ઓછો છે.
લાન્સેટે તેના રિપોર્ટમાં શું કહ્યું હતું
દુનિયાના મુખ્ય હેલ્થ રિસર્ચ જર્નલ લાન્સ્ટે દાવો કર્યો હતો કે કોરોના વાઈરસ હવા દ્વારા ઝડપથી ફેલાય છે. તો બીજી તરફ યુનિવર્સિટી ઓફ મેડિસિનના ડોક્ટર ફહીમ યુનુસે કહ્યું કે ફક્ત 10 ટકા દર્દીઓની હાલત બીજા અઠવાડિયામા બગડવાનું શરુ થાય છે. જો પહેલા બે અઠવાડિયામાં તમારી હાલત ખરાબ ન થઈ તો તમે ઠીક થઈ જશો. 80 ટકા લોકો આ કેટેગરીમાં આવે છે.
વાઈરસની ચિંતા ન કરો
ડોક્ટર યુનુસે જણાવ્યું કે કુદરતી રીતે જોઈએ તો બીમારી ઝડપથી આવે છે અને ધીમેધીમે તબિયતમાં સુધારો આવે છે. લોકોને મોટી રાહત આપતા ડોક્ટરે જણાવ્યું કે લોકોએ કોરોનાની બહુ ચિંતા ન કરવી જોઈએ. લોકોએ અંગત વ્યવહાર પર ધ્યાન આપવું જોઈએ. લોકોએ ડબલ માસ્ક પહેરવું જોઈએ અને વેક્સિન લેવી જોઈએ. તેમણે કહ્યું કે તમે જેની પર કાબૂ કરી શકો તેની પર ધ્યાન આપો અને સતર્ક રહો. ડો.ફહીમે સ્પસ્ટ જણાવ્યું કે હવામાથી વાઈરસ ફેલાવાનો અર્થ એવો નથી કે હવા સંક્રમિત છે. તેનો મતલબ છે કે વાયરસમાં હવામાં રહી શકે છે. બિલ્ડિંગની અંદર પણ ખતરો પેદા કરી શકે છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ જરુરી
ડો.ફહીમનું કહેવું છે કે કાપડનું માસ્ક પહેરવાનું બંધ કરો. બે N95 અથવા KN95 માસ્ક ખરીદો. એક માસ્કનો દિવસમાં ઉપયોગ કરો.ઉપયોગ કર્યા બાદ તેને બેગમાં રાખો અને બીજા માસ્કનો ઉપયોગ કરો. દર 24 કલાકે માસ્કની અદલાબદલી કરતો રહો. જો માસ્ક ખરાબ ન થાય તો તેને અઠવાડિયા સુધી પહેરી શકાય છે તથા સોશિયલ ડિન્સ્ટન્સિંગનું પાલન કરવું પણ જરુરી છે.