સરદાર સરોવર નર્મદા ડેમનું હવાઇ સર્વેલન્સ કરવામાં આવશે. ડેમની સુરક્ષા અને સંવેદનશીલતાને લઇ ગૃહ વિભાગ નવા હાઇટેક ડ્રોન ખરીદશે. અને ડ્રોન દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમનું પોલીસ વિભાગ દ્વારા સર્વેલન્સ કરાશે. આ ઉપરાંત VVIPના કાર્યક્રમો અને લોકમેળા-રથયાત્રા જેવા કાર્યક્રમનું પણ સર્વેલન્સ કરવામાં આવશે. હાલ પોલીસ વિભાગ દ્વારા 6 ડ્રોનથી જરૂરિયાત મુજબ સર્વેલન્સ કરાઇ રહ્યું છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા હજુ નવા 7 ડ્રોન ખરીદવામાં આવશે.