જમ્મુ કશ્મીરમાં 370 હટાવાતા પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. પાકિસ્તાને ભારત-પાકિસ્તાન વચ્ચેના 3 એર સ્પેસ બંધ કર્યા છે. પાકિસ્તાને 9 માંથી 3 એયર સ્પેસ બંધ કર્યા છે. પાકિસ્તાને વેપાર સંબંધની ધમકી બાદ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન કરીને રાજૌરીના સુંદરબનીમાં મધરાતે ફાયરિંગ કર્યું હતું. જોકે ભારત દ્વારા પાકના આ સીઝફાયરનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.
Jammu and Kashmir: Pakistan violated ceasefire at around 10:15 pm in Sunderbani sector, Rajouri. Indian Army retaliating. pic.twitter.com/Mk09Qc0nNN
જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન છંછેડાયું છે. પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષ સમિતિ (NSC)ની બેઠક બાદ પાકિસ્તાને નિર્ણય કરતા ભારત સાથેના દ્વિપક્ષીય વ્યાપાર પર રોક લગાવી દીધી છે.
Pakistan Civil Aviation Authority (PCAA) has made changes in aerial routes for all airlines specifically for Lahore region & increased the minimum limit of flights’ altitude. Foreign aircraft will not be permitted to fly below 46,000-feet altitude in Lahore region. pic.twitter.com/H3yg9lfzXo
આ સાથે પાકિસ્તાને ભારત સાથે તમામ વ્યાપારી સંબંધો તોડી નાંખ્યા છે. જ્યારે હવે પાકિસ્તાન ભારત સાથે દ્વિપક્ષીય સમજુતીની સમીક્ષા કરશે. સાથે જ કાશ્મીર મામલાને યૂએનમાં લઇ જવાની પાકિસ્તાને ધમકી આપી છે.ન્યૂઝ એજન્સી એએફપી મુજબ પાકિસ્તાને ભારતના રાજદૂતને નિષ્કાસિત કર્યા છે.
પાકિસ્તાન નેશનલ સિક્યોરિટી કમિટીએ લીધા નિર્ણય
Flights from Afghanistan have been instructed to take alternative routes by Pakistan Civil Aviation Authority (PCAA). https://t.co/Hhz4yoygF0
ઇમરાન ખાનની આગેવાનીમાં ઇસ્લામાબાદ સ્થિત વડાપ્રધાન કાર્યાલયમાં નેશનલ સિક્યોરિટી કમિટીની બેઠક થઇ. જેમા આર્ટિકલ 370ને હટાવવાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. પાકિસ્તાન નેશનલ સિક્યોરિટી કમિટીએ આ બેઠકમાં કેટલાક નિર્ણયો લીધા.
પુલવામા હુમલા બાદ પણ પાકે એરસ્પેસ કર્યા હતા બંધ
ઉલ્લેખનીય છે કે 26 ફેબ્રુઆરીમાં પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલી જવાબી કાર્યવાહીના પગલે પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું.